રાજકોટ જિલ્લાની જસદણ સીટ પર બાવળિયા-બોઘરાની ખેંચતાણને લઇને બન્નેને સેટ કરવા ભાજપ નવી રણનીતિ બનાવી શકે છે.
કુંવરજી બાવળિયા-ભરત બોધરા માટે સીટના સમીકરણ બદલાઇ શકે
કુંવરજી ચોટીલાથી લડી શકે ચૂંટણી : સૂત્ર
ભરત બોધરા જસદણથી લડી શકે ચૂંટણી : સૂત્ર
ચૂંટણીના આગમન અગાઉ નેતાઑમાં થતી ખેંચતાણ આમ બાબત હોય છે.જેમાં રાજકોટ જિલ્લાની જસદણ સીટ પર બાવળિયા-બોઘરાની વર્ચસ્વની લડાઇ ખૂબ જાણીતી અને ચર્ચામાં રહે છે. ત્યારે બાવળિયા-બોઘરાની ખેંચતાણને ઢીલી કરવા ભાજપ નવી સ્ટ્રેટેજી અપનાવી બંને નેતાઑને સાચવી લેવા વચ્ચેનો રસ્તો અપનાવી શકે છે. આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર કુંવરજી બાવળિયાની સીટમાં બદલાવ કરવામાં આવી શકે છે. તો ભરત બોધરાને ભાજપ જસદણથી મેદાનમાં ઉતારી શકે છે.
ચોટીલા બેઠક પર હાલમાં કોંગ્રેસના ઋત્વિક મકવાણા ધારાસભ્ય
ગુજરાત ચુંટણીને લઇને સૌરાષ્ટ્રમાં સમીકરણ બદલાઇ શકે છે. જેમાં ભાજપ દ્વારા કુંવરજી બાવળિયા અને ભરત બોધરા માટે સીટના સમીકરણ બદલાવી શકે છે. બન્નેને સેટ કરવા માટે ભાજપ નવી રણનીતિ અપનાવે તો નવાઈ નહીં. ચોટીલા બેઠક પર હાલમાં કોંગ્રેસના ઋત્વિક મકવાણા ધારાસભ્ય છે. ત્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આગામી ચુંટણીમાં કુંવરજીને ચોટીલાથી ચુંટણી જંગમાં ઉતારવામાં આવી શકે છે.જ્યારે જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની સીટ પરથી ભરત બોધરાને ટિકિટ મળી શકે છે.
ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી
ચુંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઇ ભાજપમાં કવાયત શરૂ થઇ છે.આ અંગે આજે સાંજે ભાજપની મહત્વની બેઠક મળશે. સાંજે 6:30 કલાકે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. બેઠક બાદ મોડી રાત સુધીમાં નામની યાદી જાહેર થઈ શકે છે. તેવા પણ એંધાણ વર્તાઇ રહ્યા છે. જે પ્રથમ ફેઝમાં 89 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે.