લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે ભાજપે કમરકસી છે. ગઇકાલે અમિત શાહના ભવ્ય રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આજે ભાજપ દ્વારા રથોનું પ્રસ્થાન કરાવવામા આવશે. જેમાં ભાજપ લોકોને વોટિંગ માટે અપીલ કરશે.
ગાંધીનગરમાં આજે ભાજપ પ્રચાર પ્રસાર અભિયાન હાથ ધરશે. જે અંતર્ગત કમલમ ખાતેથી પ્રચાર રથોનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ભારતભાઈ પંડ્યા અને પ્રદેશ અગ્રણી મહેશ કસવાલાના હસ્તે આ રથોનું પ્રસ્થાન કરાવવામાં આવશે. કોબા ગાંધીનગર ખાતે આ તમામ રથોનું પ્રસ્થાન કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે જ ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આજે ભાજપ દ્વારા રથોનું પ્રસ્થાન કરાવવામા આવશે. જેમાં ભાજપ લોકોને વોટિંગ માટે અપીલ કરશે.
તમને જણાવી દઇએ કે, ભારતીય રાજનીતિનાં આધુનિક ચાણક્ય તરીકે જાણીતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. મહત્વનું છે કે અમિત શાહની આ વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, રામવિલાસ પાસવાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પંજાબનાં પૂર્વ CM પ્રકાશસિંહ બાદલ પણ હાજર રહ્યાં હતાં. અમદાવાદમાં કાલે કેન્દ્રીય નેતાઓનો જમાવડો જામ્યો હતો. ત્યારે આ તમામ દિગ્ગજ નેતાઓએ આ સંકલ્પ સભામાં સંબોધન કર્યુ હતું.