સુરત મનપાના પરિણામ બાદ ભાજપા પ્રમુખ C R પાટીલ અને કેજરીવાલ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયુ છે.
પાટીલ-કેજરીવાલ વચ્ચે શાબ્દિક યુદ્ધ
પાટીલ અને કેજરીવાલ વચ્ચે ટ્વિટર વોર
AAPની ડિપોઝિટ ડૂલ થવા પર પાટીલનો કટાક્ષ
સી.આર.પાટીલ અને CM કેજરીવાલ વચ્ચે ટ્વિટર વોર શરૂ થયું છે. કેજરીવાલના સુરત પ્રવાસ પર પાટીલે ટ્વિટથી નિશાન સાધ્યું છે.
ભાજપા પ્રમુખ પાટીલે AAPની ડિપોઝિટ ડૂલ થવા પર ટ્વિટથી કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે, AAPની 3 શહેરમાં 100%, 2 શહેરમાં 90% ડિપોઝિટ ડૂલ થઇ ગઈ છે.
What Kejriwal Ji said – AAP got 27 seats in Surat municipal polls.
What he didn’t share:
-59 AAP candidates lost deposit in Surat
-Every AAP candidate lost deposit in Vadodara, Ahmedabad and Bhavnagar.
-44 out of 48 candidates in Jamnagar
-68 out of 72 in Rajkot lost deposit.
ડિપોઝિટ ડૂલ થવાનો જશ્ન મનાવવા કેજરીવાલે રોડ શો કર્યો છે કે શું કેજરીવાલે કહ્યું સુરતમાં 27 સીટ જીત્યા પણ કેજરીવાલે AAPની ડિપોઝિટો ડૂલ થઇ તે વાત ન કરી.
Gujarati voters gave their mandate loud and clear.
Out of 6 Municipal Corporation, 65 AAP candidate in Surat, 41 in Vadodara, 155 in Ahmedabad, 39 in Bhavnagar and 68 in Rajkot lost their deposit.
C R પાટીલના ટ્વિટનો CM કેજરીવાલે પણ જવાબ આપ્યો હતો. ગુજરાતની જનતા ઉજવણી કરી રહી છે. ગુજરાતમાં દરેક લોકો AAPની વાત કરી રહ્યાં છે. આમ આદમીની શક્તિનો ઉપહાસ-અવમૂલ્યન ન કરો.