કોરોના વાયરસ, ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને આજ કાલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ભૂલને કારણે ભાજપને તેના પર પ્રહાર કરવાની તક મળી. ખરેખર કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) ની બેઠક મંગળવારે મળી હતી. જે બાદ કોંગ્રેસે કાર્યકારી સમિતિનું નિવેદન ટ્વિટર પર પોસ્ટ કર્યુ હતું. કોંગ્રેસે પોતાના ટ્વિટમાં ભૂલથી કોંગ્રેસ કાર્યકારી સમિતિને બદલે 'કાયરસમિતિનું નિવેદન' લખ્યું હતુ. જે બાદ ભાજપને નિશાન સાધવાની તક મળી હતી.
ભાજપે કોંગ્રેસની આ ભૂલનો સ્ક્રીનશોટ શેર કરી ભાજપે લખ્યું કે "ઘણી વખત એવું પણ બને છે જ્યારે કોંગ્રેસ પાર્ટી પણ સત્ય બોલે છે - કાયર જ છે આ લોકો!" ભાજપના ઘણા નેતાઓએ આ સ્ક્રીનશોટ શેર કરીને કોંગ્રેસ પાર્ટીની આકરી ઝાટકણી કાઢી છે.
There are times when even the Congress party speaks the truth - कायर ही हैं ये लोग! pic.twitter.com/aGj4QU8Vsw
ઉલ્લેખનીય છે કે ચીની સૈનિકો સાથે ગલવાન ખીણમાં ભારતીય સૈનિકોની હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદીને લઈને, ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, "દેશમાં હાલની સ્થિતિ મોદી સરકારના ગેરવહીવટનું પરિણામ છે. ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ચાલી રહેલા તણાવનું કારણ મોદી સરકારની ખોટી નીતિઓ છે." કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા સોનિયાએ કહ્યું કે કેન્દ્ર સરકારે હંમેશાં યોગ્ય સલાહ સાંભળવાની ના પાડતી રહી છે. "