મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય હડકંપને લઇને પ્રતિક્રિયાઓનો દોર થયો શરૂ, શિંદેનું નામ લઇને આ એક્ટરે માર્યો ટોણો
મહારાષ્ટ્રમાં રાતોરાત સર્જાયો રાજકીય ભૂકંપ
ફિલ્મ જગતની હસ્તીઓ આપી રહી છે પ્રતિક્રિયા
ભાજપ સામે કસ્યો તંજ
મહારાષ્ટ્ર સરકારમાં રાતોરાત સર્જાયેલા રાજકીય ભૂકંપને લઇને લોક પ્રતિક્રિયાનો દોર શરૂ થયો છે. ત્યારે હવે આ મામલે ફિલ્મ જગતની હસ્તીઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. ત્યારે મિર્જાપુર વેબસીરિઝના મુન્ના ભૈયા ઉર્ફે દિવ્યેંદુ શર્માએ આ મામલે ટોણો માર્યો. તેઓએ ટ્વિટ કરતા લખ્યું કે' સેલ..સેલ..સેલ, ધારાસભ્યો લઇ લો. આ કહેવાતા નેતાઓ માટે રાજનીતિ એક માત્ર વ્યવસાય છે. દિવ્યેંદુના આ ટ્વિટ પર લોકો કમેન્ટ્સ કરી રહ્યાછે. '
SALE… SALE…SALE….
MLA lelooooooo
Politics is only a PROFESSION for these so called ‘leaders’
દિવ્યેન્દુ ઉપરાંત ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ આ મુદ્દાને લઈને અનેક ટ્વિટ કરી છે. ટ્વીટમાં તેમણે લખ્યું કે, શું મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક સુરતમાં છે? હું ખાલી પુછુ છુ." અન્ય એક ટ્વિટમાં અશોક પંડિતે લખ્યું છે કે, શિવસેનાના વ્યક્તિને ચૂપ રહેવાનું કહેવામાં આવે. જાણી લાવો કોને ? '
Is the cabinet meeting of Maharastra in Surat ? #Justasking
KRKએ પણ કર્યુ ટ્વિટ 'હવે મહા વિકાસ આઘાડી સરકાર સંકટમાં'
આ સિવાય બોલિવૂડ એક્ટર કેઆરકેએ પણ આ મુદ્દે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, “આજે એકનાથ સિંહ તેમના સમર્થક સાથે ગુવાહાટી પહોંચ્યા છે. મતલબ કે હવે તેઓ કોઈ પણ સંજોગોમાં શિવસેનામાં પાછા નહીં આવે. જેથી હવે મહા વિકાસ આઘાડી સરકાર સંકટમાં છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે હવે નવી સરકાર કોણ અને કેવી રીતે બનાવશે? અને નવી સરકાર કેટલી સ્થિર હશે?" કેઆરકેએ અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, "ભાજપ સરકાર બનાવવામાં નહીં, સરકારને ઉથલાવવામાં માને છે." બીજાએ ટ્વીટ કર્યું, "જો કોઈ રાજનેતા પક્ષ બદલી શકે છે તો મતદારને પણ પોતાનો મત બદલવાનો અધિકાર હોવો જોઈએ."
Today #EknathShinde has reached to Gauhati with his supporters. Means he won’t come back to #Shivsena at any cost. So Now #MahaVikasAgadhi govt is in problem. But question is, that who will form new govt and how? And how stable will be the new govt? #MaharashtraPoliticalCrisis!
મહત્વનું છે કે એકનાથ શિંદેના વિદ્રોહ બાદ મહા વિકાસ અઘાડીના બે ભાગ હોય તેવું લાગી રહ્યું છે. શિવસેનાના સાચા સૈનિક ગણાતા એકનાથ શિંદે બળવા પર ઉતરી આવ્યા છે. તેઓ ઘણા ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા, જ્યાં તેઓ બધા એક હોટલમાં રોકાયા. આ પછી, એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે એટલે કે 22 જૂને એકનાથ તેમના સાથીઓ સાથે ગુવાહાટી પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ પલ્લબ લોચન દાસ અને સુશાંત બોર્ગોહેને પણ તેમનું ગુવાહાટી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને કોંગ્રેસ-એનસીપી છોડીને ભાજપ સાથે સરકાર બનાવવાની માંગ કરી છે.