ભારતના વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસરે ભાજપે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા એક વીડિયો શેર કર્યો હતો.
ગત વર્ષે પીએમ મોદીએ 14 ઓગસ્ટના દિવસને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ જાહેર કર્યો હતો
આજે 14 ઓગસ્ટના દિવસે પીએમ મોદીએ પણ દેશના ભાગલા સમયના પીડિત લોકોને યાદ કર્યા
ભાજપે આજના દિવસે ટ્વિટર પર એક વીડિયો શેર ભાગલા માટે નહેરુને જવાબદાર ગણાવ્યા હતા
ભારતના વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસરે ભાજપે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ભાજપે 1947ની ઘટનાઓનું વર્જન જાહેર કર્યું છે. સાત મીનિટના આ વીડિયોમાં ભારતના ભાગલા માટે જવાહરલાલ નહેરુને જવાબદાર ગણાવ્યા છે. મોહમ્મદ અલી જિણાના નેતૃત્વવાળી મુસ્લિમ લીગની પાકિસ્તાન બનાવાની માગ આગળ નહેરુે ઝુકવા માટે જવાબદાર ઠેરવ્યા હતા.
કોંગ્રેસે આ વીડિયો પર પલટવાર કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યુ કે, 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવા પાછળ પ્રધાનમંત્રીનો વાસ્તવિક ઈરાદો સૌની દર્દભરી ઐતિહાસિક ઘટનાઓને પોતાના રાજકીય લાભ માટે ઉપયોગ કરવાનો છે. સાથે જ તેમણે કહ્યું કે, દેશના ભાગલા માટે આધુનિક સમયમાં સાવરકર અને જિણાનો પ્રયાસ આજે પણ ચાલુ છે.
जिन लोगों को भारत की सांस्कृतिक विरासत, सभ्यता, मूल्यों, तीर्थों का कोई ज्ञान नहीं था, उन्होंने मात्र तीन सप्ताह में सदियों से एक साथ रह रहे लोगों के बीच सरहद खींच दी।
ગત વર્ષે 14 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદીએ એલાન કર્યું હતું કે, 1947માં વિભાજન દરમિયાન ભારતીયોના કષ્ટો અને બલિદાનોની દેશને યાદ અપાવવા માટે દર વર્ષે 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવામાં આવશે. પીએમ મોદીએ રવિવારે સવારે તેને લઈને ટ્વિટ કર્યું છે.
Today, on #PartitionHorrorsRemembranceDay, I pay homage to all those who lost their lives during Partition , and applaud the resilience as well as grit of all those who suffered during that tragic period of our history.
ભાજપના આ વીડિયોમાં Cyril John Radcliffeને બતાવામાં આવ્યા છે. જેમના વિભાજનના નક્શાએ પંજાબ અને બંગાળનો લગભગ અડધો ભાગ વિભાજીત કર્યો હતો. તેની સાથે જ સવાલ કર્યો છે કે, એક વ્યક્તિ જેને ભારતીય સંસ્કૃતિ વિરાસતની કોઈ જાણકારી નથી, તેને ફક્ત અમુક અઠવાડીયામાં ભારતના ભાગલાની મંજૂરી કેવી રીતે મળી ગઈ. આખા વીડિયોમાં નહેરુના દ્રશ્યને બતાવામાં આવ્યું, તેની સાથે વોયસ ઓવરમાં ભાગલાની ભયાનકતાને રજૂ કરવામાં આવી છે.
ભાજપે આ વીડિયોની સાથે ટ્વિટ કરતા લખ્યું છે કે, જે લોકોએ ભારતની સંસ્કૃતિ વિરાસત, સભ્યતા, મૂલ્યો, તીર્થોનું કોઈ જ્ઞાન નહોતુ. તેમણે ફક્ત ત્રણ અઠવાડીયામાં સદીઓથી એક સાથે રહી રહેલા લોકોની વચ્ચે સરહદો ખેંચી નાખી. તે સમયે ક્યાં હતા એ લોકો જેના પર આ વિભાજનકારી તાકાતો વિરુદ્ધ સંઘર્ષ કરવાની જવાબદારી હતી ?