ભારતીય જનતા પાર્ટીની આસામ યુનિટ રાજ્યમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સોમવારે એટલે કે, આજે દેશદ્રોહના ઓછામાં ઓછા 1000 કેસ નોંધાવશે.
રાહુલ ગાંધી વિરુદ્ધ 1000 દેશદ્રોહના કેસ નોંધાવશે
ટ્વિટ બાદ થયો હોબાળો
ભાજપ કરશે આ કામ
ભારતીય જનતા પાર્ટીની આસામ યુનિટ રાજ્યમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સોમવારે એટલે કે, આજે દેશદ્રોહના ઓછામાં ઓછા 1000 કેસ નોંધાવશે. દેશદ્રોહનો આ મામલો આ નિવેદનના વિરોધમાં નોંધાવશે, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતની સરહદો ગુજરાતથી લઈને બંગાળ સુધી છે. સૂત્રોના હવાલેથી જાણવા મળ્યા પ્રમાણે ANI આ પ્રકારની જાણકારી આપી છે. ભાજપનું માનવું છે કે, રાહુલ ગાંધીએ આ પ્રકારનું નિવેદન આપીને અરુણાચલ પ્રદેશ પર ચીનનો દુષ્પ્રચારને સ્વિકાર કરી લીધો છે.
રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો
કેરલના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ 10 ફેબ્રુઆરી ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં શક્તિ છે. આપણી સંસ્કૃતિ, આપણી વિવિધતા અને આપણી ભાષા તથા અહીંના લોકો આપણા રાજ્યોની શક્તિ છે. આ ટ્વિટમાં રાહુલ ગાંધીએ આગળ લખ્યું હતું કે, ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ભારત છે. ત્યાર બાદ આસામ, ત્રિપુરા અને મણિપુરના મુખ્યમંત્રીઓએ રાહુલ ગાંધીના આ ટ્વિટ પર વાંધો ઉઠાવ્યો હતો કે, તેમણે ઉત્તર પૂર્વનો ઉલ્લેખ કર્યો નહીં.
ટ્વિટની વિરુદ્ધમાં દેશદ્રોહનો કેસ નોંધાવશે
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, કાશ્મીરથી લઈને કેરલ સુધી અને ગુજરાત થી લઈને પશ્ચિમ બંગાળ સુધી ભારતના રંગો સુંદર છે. ભારતની ભાવનાનું સત્યાનાશ ન કરો. ભાજપનું માનવું છે કે, રાહુલ ગાંધીએ જાણી જોઈને ઉત્તર પૂર્વનો ઉલ્લેખ કર્યો નથી. આવી રીતે તેમણે અરુણાચલ પ્રદેશ પર ચીનના પ્રોપેગૈંડાનું સમર્થન કર્યું છે.