ભાજપ અને શિવસેના વચ્ચે દિવસેને દિવસે મતભેદ વધી રહ્યાં છે. એક તરફ ભાજપના અધ્યક્ષ અમિત શાહે એકલા હાથે ચૂંટણી લડવાના સંકોત આપ્યા છે. ત્યારે બીજી તરફ શિવસેનાનું મુખ્યપત્ર સામાનામાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.
સરકારને નિશાને લેતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે 2014માં ભાજને મળેલી જીત જનતાનો નિર્ણય નથી. ભાજપે જનતા સાથે ઠગાઈ કરી છે. દેશના રાજકારણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે લોકસભાની હોય ચૂંટણીમાં ભરપૂર પૈસા વેરવામાં આવ્યા છે. આવું પાછલા 50 વર્ષોમાં કયારેય નથી થયું. દરેક ચૂંટણી પૈસા અને સત્તાના પ્રયોગે જીતી શકાય છે. એવું શું ચાણકયએ કહ્યું છે?
આ પ્રકારની નવી રાજનીતિ નવા ચાણકયએ શરૂ કરી છે કે નહીં એ હું જાણતો નથી. મેં તો આવું કયાંય વાંચ્યુ નથી. ભાજપે ડાકૂ રાજનીતિ શરૂ કરી છે. તો ઉદ્ધવ ઠાકરેએ ઈવીએમ મશીન પર પણ સવાલ ઉભા કર્યા છે.