નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોદી સરકારના કાર્યકાળની સમીક્ષા કરશે. સૂત્રોનું માનીએ તો વર્તમાન મોદી સરકાર અનેક મોરચા પર નિષ્ફળ રહી છે. આ સમીક્ષા બેઠકમાં RSS તરફથી સંઘ નેતા દત્તાત્રેય હોસબોલે અને કૃષ્ણ ગોપાલ હાજર રહેશે.
તો ભાજપ તરફથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના નેતા રામ લાલ હાજર રહેશે. આ સમીક્ષા બેઠકમાં વિવિધ મંત્રાલયની કાર્યશૈલી પર વિચાર કરવામાં આવશે. સાથે જ મંત્રાલયોને આ અંગે જાણકારી અપાશે કે તેમને શું કરવાનું છે. અને શું નહીં.
ચાર દિવસીય આ બેઠકમાં એક દિવસ માત્ર આર્થિક મુદ્દા પર વાતચીત કરાશે. આ દરમિયાન નાણા મંત્રાલયના નેતાઓ પણ હાજર રહેશે. બેઠકમાં બેરોજગારી અને મોંઘવારી ચર્ચાના મુખ્ય મુદ્દા રહેશે.