કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે રાજકારણ ગરમાયું છે. ભાજપ તરફથી એવું નિવેદન આવી રહ્યું છે કે ઈમરાન ખેડાવાલાએ બેદરકારી દાખવી. તો બીજી બાજુ કોંગ્રેસે કહ્યું કે CMએ શા માટે તેમને રૂબરૂ મળવા બોલાવ્યાં.
ઈમરાન ખેડાવાલા મુદ્દે રાજકરણ ગરમાયું
ભાજપ - કોંગ્રેસનાં આરોપ પ્રત્યારોપ
ભાજપે ઈમરાન ખેડાલાવા પર સાધ્યું નિશાન
મહત્વનું છે કે ગઈ કાલે કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો. કારણ કે ઈમરાન ખેડાવાલાએ ગઈ કાલે જ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ સાથે રૂબરુ બેઠક કરી હતી. હવે આ મામલે રાજકારણમાં ગરમાવો આવ્યાં છે અને ભાજપ-કોંગ્રેસ આરોપ પ્રત્યારોપ કરી આમને-સામને આવી ગયાં છે.
ભાજપે કહ્યું ખેડાવાલાની બેદરકારી
ભાજપના ભરત પંડ્યાએ આ મામલે વાત કરતા કહ્યું હતું કે ઈમરાન ખેડાવાલાની બેદરકારી છે કે તેઓ કોરોનાના લક્ષણો હોવા છતાં પણ મુખ્યમંત્રીને મળવા આવ્યાં તે તેમની બેદરકારી. તેમને એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈતું હતું કે પૂર જેવી અતિવૃષ્ટિ કે ભૂકંપમાં મદદ કરવી અને કોરોના સંકટમાં મદદ કરવામાં અંતર હોય છે. તે જેઓ જ્યાં જ્યાં ગયા હશે તેમના અને તેમના પરિવારના સ્વાસ્થ્ય જોખમમાં મૂક્યાં છે.
કોંગ્રેસે કહ્યું CMએ શા માટે રૂબરૂ મળવા બોલાવ્યાં
આ મામલે જયરાજ સિંહે ભાજપ પર સવાલ કર્યા છે કે, તમામ નેતાઓ સાથે વીડિયો કોન્ફરેન્સ સાથે બેઠક કરે છે તો ઈમરાન ખેડાવાલાને કેમ રૂબરૂ બેઠક કરવા ગાંધીનગર બોલાયા. ઈમરાન ખેડાવાલાની ખબર નહોતી એવું પણ જયરાજસિંહે કહ્યું હતું. ભાજપને લોકોની વચ્ચે જવું નથી અને જે લોકો જાય છે તેમના માટે આવું કહેવામાં આવે છે.