ગીર સોમનાથનાં કોડીનારમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે સભા સંબોધી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના નામે મત માંગ્યા. તો રાહુલ ગાંધી કોંગ્રેસ અને બસપા સહિતની પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. કોડીનારમાં અમિત શાહનું શાનદાર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેઓ ડીસા પહોંચ્યા હતા જ્યાં તેમણે રોડ શો યોજ્યો.
લોકસભાની ચૂંટણીને લઈને અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે ડીસામાં બે કિમીનો રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને શંકર ચૌધરી જોડાયા હતા. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા. ત્યારબાદ રસાલા ચોક ખાતે જંગી સભાને સંબોધન કરશે. મળતી માહિતી મુજબ ગત લોકસભાના લીડને યથાવત રાખવાના ઉદ્દેશ સાથે અમિત શાહ જંગી સભાને સંબોધન કરશે.
અમિત શાહનુ જાહેરસભાને સંબોધન
સૌરાષ્ટ્રની બેઠક કબ્જે કરવા કોડિનારમાં અમિત શાહે કહ્યું કે, સરદાર પટેલના કારણે જુનાગઢ ભારતનો હિસ્સો બન્યો છે. ગીરનુ ક્ષેત્ર સિંહોનુ ક્ષેત્ર છે. જમ્મુ કશ્મીરનો પ્રશ્નો પણ આજે ઉભો છે. ચૂંટણીનો પરિણામ સુનિશ્ચિત છે. 26 બેઠકો જીતાવાનુ કામ જનતાએ કરવાનુ છે.
વધુમાં તેમણે કહ્યું કે, દેશભરમાં ફરતો ફરતો હું અહી સોમનાથ દાદાનાં સાનિધ્યમાં આવ્યો છુ. ગીરનાં સાવજ અને સાવજ જેવા લોકો માટે આજે હું અહી આવ્યો છુ. જો સરદાર પટેલ ન હોત તો સોમનાથ ન હોત. દરિયાકાંઠેનો વિકાસ ભાજપ સાથે જોડાયેલો છે. જનતા ફરીથી મોદીને PM બનાવવા ઇચ્છે છે.
ગીર સોમનાથનાં કોડીનારમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે સભા સંબોધી હતી
ગીર સોમનાથનાં કોડીનારમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે સભા સંબોધી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના નામે મત માંગ્યા. તો રાહુલ ગાંધી કોંગ્રેસ અને બસપા સહિતની પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. કોડીનારમાં અમિત શાહનું શાનદાર સ્વાગત કરાયું હતું.
જૂનાગઢ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી બાદ હવે અમિત શાહ કોડીનારમાં સભા ગજવી. અમિતશાહે એર સ્ટ્રાઇકના નામે ગીરવાસીઓ પાસે મત માંગ્યો. અમિત શાહ કહ્યું કે પાકિસ્તાનને ઘરમાં ઘુસીને માર્યા. પાકિસ્તાનની ગોળીનો જવાબ તોપથી આપશું અને ઇટનો જવાબ પથ્થરથી.
અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું હતું કે 40 જવાનોનાં તેરમાનાં દિવસે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી તેના કારણે પાકિસ્તાનમાં માતમ છવાયું હતું. તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ શોકનો માહોલ છવાયો હતો. રાહુલ ગાંધી તમે પાકિસ્તાન સાથે ઇલું ઇલું કરો અમે નહિ કરીએ. સાથે જ અમિત શાહે આઝમખાન અને માયાવતી પર પણ નિશાન સાધી અને કહ્યું કે જયાપ્રદાને આજમખાને જે શબ્દો કહ્યા તે એક મહિલાનું અપમાન છે.
આજની સભામાં ખેડૂતો મામલે અમિત શાહે બોલવાનું ટાળ્યું હતું. ગત વિધાનસભાની ચૂંટણી સમયે આજ જગ્યા પરથી અમિત શાહે કહ્યું હતું કે ચૂંટણી પછી કોડીનારનો ખાંડ ઉધોગ શરૂ કરાવીશું. પરંતુ હજુ સુધી તે વચન પૂરું ન થયું જેથી અમિતશાહે ખેડૂતો મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.