તમિલનાડુ અને કેરળ જ્યાં ભાજપની કોઈ ખાસ પકડ નથી ત્યાં આજે અમિત શાહ રેલી કરીને લેશે મુલાકાત.
તમિલનાડુ અને કેરળના પ્રવાસે અમિત શાહ
આ રાજ્યોમાં ભાજપની પકડ નબળી
અમિત શાહ આજે કરશે રેલી
ભલે આ સમયે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચાઓ થઈ રહી હોય પણ હજુ પણ 4 રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી અહીં પણ કોશિશમાં લાગી રહી છે. જે 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે તેમાં 3 દક્ષિણ ભારતથી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુ અને કેરળના ચૂંટણી પ્રચારમાં આજે ભાગ લેશે.
તમિલનાડુ અને કેરળમાં ભાજપની પકડ નબળી
તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે પણ આ રાજ્યોમાં ભાજપની કોઈ ખાસ પકડ નથી. જો કે ભાજપ કોશિશ કરી રહી છે કે તે અહીં પોતાની પકડ મજબૂત કરી શકે. આ તબક્કામાં અમિત શાહ રવિવારે એટલે કે આજે આ બંને રાજ્યોની મુલાકાત લેશે.
કન્યાકુમારીથી થશે કાર્યક્રમની શરૂઆત
ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમની શરૂઆત કન્યાકુમારીથી કરશે. અહીં સવારે લગભગ 10.15 વાગે તેઓ સુચિંદ્રમ મંદિર જશે અને પછી ડોર ટુ ડોર અભિયાન વિજય સંકલ્પ મહાસંકલ્પના આધારે કન્યાકુમારીના સુચિંદ્રમ ટાઉન જશે, આ પછી એક રેલીને સંબોધિત પણ કરશે.
தமிழகத்தில் நாளை (மார்ச் 07) மத்திய உள்துறை அமைச்சர் திரு.அமித்ஷா அவர்களின் பொது நிகழ்ச்சிகள்.
— Office of Amit Shah (@AmitShahOffice) March 6, 2021
કન્યાકુમારીમાં થશે શાહનો રોડ શો
સુચિંદ્રમ ટાઉનમાં થોડી વાર રહ્યા બાદ અમિત શાહ સવારે 11.15 મિનિટે એક રોડ શો કરશે. ગૃહમંત્રી શાહ શો બાદ બપોરે 12.30 વાગે કન્યાકુમારીમાં ઉડુપ્પી હોટલમાં કાર્યકર્તા સભામાં સામેલ થશે. કાર્યકર્તા સભામાં સામેલ થયા બાદ શાતહ કેરળ માટે રવાના થશે.
કેરળમાં આવો રહેશે શાહનો કાર્યક્રમ
સાંજે 4.30 વાગે અમિત શાહ કેરળના ત્રિવેન્દ્રમપુરમમાં શ્રી રામકૃષ્ણ મઠ જશે. આ પછી તેઓ સાંજે 6 વાગે પાર્ટીની કેરળ વિજય યાત્રામાં ભાગ લેશે. અમિત શાહ અહીં શણકુમુખમ બીચ પર ભાષણ પણ આપશે. શાહ પોતાની યાત્રા સમયે ત્રિવેન્દ્રપુરમમાં ભાજપની વિશાળ રેલીને સંબોધિત કરશે. આ પછી શાહ દિલ્હી પરત ફરશે.