નીતિશની સાથે તેજસ્વી યાદવ પણ રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળશે
બિહારની રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. 5 વર્ષ બાદ નીતીશ કુમારની પાર્ટી JDU અને BJP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. નીતિશ કુમારે કહ્યું છે કે ભાજપે હંમેશા તેમનું અપમાન કર્યું છે. આ સાથે જેડીયુને ખતમ કરવાનું ષડયંત્ર પણ ઘડવામાં આવ્યું હતું. આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને જેડીયુના સાંસદો અને ધારાસભ્યોની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ હવે સીએમ નીતીશ કુમારે રાજ્યપાલ ફાગુસિંહ ચૌહાણને મળવા માટે સમય માગ્યો છે. તેવામાં કોંગ્રેસના ધારાસભ્ય શકીલ અહેમદ ખાને કહ્યું છે કે, નીતીશ કુમાર મહાગઠબંધનના મુખ્યમંત્રી હશે. બધું નક્કી થઈ ગયું છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર આપશે રાજીનામું
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાંજે ચાર કલાકે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને પોતાનું રાજીનામુ સોંપશે. JDUની બેઠકમાં ગઠબંધન તોડવાની જાહેરાત થઈ છે. નીતિશની સાથે તેજસ્વી યાદવ પણ રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, નીતીશ કુમારની જેડીયુ અને આરજેડીમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ રહી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ગૃહ મંત્રાલયની માગણી કરી છે, સાથે જ તેજ પ્રતાપને પણ સરકારમાં સ્થાન મળી શકે છે.
#BiharPoliticalCrisis | Upendra Kushwaha, National Parliamentary Board President of JD(U) tweets, "Congratulations Nitish Kumar for the leadership of a new alliance in a new form..." pic.twitter.com/Kbe2QFO87p
સૂત્રોના જણાવ્યા અનુસાર મહાગઠબંધનની બેઠક બાદ તેજસ્વી યાદવ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે રાજભવનમાં જશે. સીએમ નીતિશ કુમારને રાજ્યપાલે મળવા માટે 4 વાગ્યાનો સમય આપ્યો છે. ભાજપે રાજધાની પટનામાં સાંજે 5 વાગ્યે કોર ગ્રુપની બેઠક બોલાવી છે.
Many JD(U) MLAs, MLCs told CM Nitish Kumar in the meeting that their present alliance is trying to weaken them since 2020. Without naming Chirag Paswan, they said he was one such example; also said they if they're not alert now, it won't be good for the party: Sources
આ સાથે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, બિહાર વિધાનસભામાં સ્પીકર વિજય સિન્હા સાથે સત્ર દરમિયાન ભારે બોલાચાલી થઈ હતી, તે જ દિવસે નીતિશ કુમારે પોતાના પદેથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. અહીં તિરાડ પડી હોવાનું કહેવાય છે. નીતિશ કુમાર આરસીપી સિંહના વ્યવહાર અને જેડીયૂ વિરુદ્ધ લીધેલા સ્ટેન્ડથી નારાજ હતા. આરસીપી સિંહે કલમ 370ના ફેવરમાં સ્ટેન્ડ લીધું હતું. જ્યારે જેડીયૂનું સ્ટેન્ડ ત્યાં સુધી ક્લિયર નહોતું.
લાલુની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વીટ કરીને લખ્યું છે કે રાજતિલકની કરો તૈયારી, આવી રહ્યા છે લોલટેનધારી.
નોંધનીય છે કે, મંગળવારે ધારાસભ્યો અને સાંસદોની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્યોને મીડિયા સાથે વાત કરવા અથવા મીટિંગમાં ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.