સતત વિવાદોથી ઘેરાયેલા રહેતા સ્વામી અગ્નિવેશની આજરોજ ભાજપના યુવામોરચાના કાર્યકર્તાઓએ ઝારખંડના પાકુડમાં મારપીટ કરી હતી. કાર્યકર્તાઓએ સ્વામીની પાકુડ યાત્રાનો વિરોધ કર્યો હતો.
આ સમયે કાળા વાવટા ફરકાવી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં સ્વામી અગ્નિવેશના કપડાં ફાટી ગયા હતા.
આપને જણાવી દઇએ કે સ્વામી અગ્નિવેશે તાજેતરમાં ગૌમાંસ અંગે નિવેદન આપેલ જેમાં તેમણે ગૌમાંસ ખાવાની વાત કરી હતી. આ સંદર્ભમાં ભાજપના અને વિદ્યાર્થી પરિષદના લોકોએ મારપીટ કરી હતી.
Activist Swami Agnivesh was thrashed allegedly by BJP Yuva Morcha workers in Jharkhand's Pakur earlier today. More details awaited. pic.twitter.com/59kqoV9uj4
ઉલ્લેખનીય છે કે ઝારખંડના પાકુડમાં યોજાયેલ પહાડિયા સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા સ્વામી અગ્નિવેશને હોટલની બહાર ઉભેલા અજાણ્યા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ સાથે જ તેમના કપડા પણ ફાડી નાંખવામાં આવ્યા હતા. આ લોકો ભાજપના યુવામોરચાના કાર્યકર્તાઓ હોવાનું ખુલવા પામેલ.
આપને જણાવી દઇએ કે સ્વામી અગ્નિવેશ સામાજિક અને માનવાધિકાર કાર્યકર્તા છે અને તેઓ આવા મુદ્દા પર આંદોલન ચલાવતા રહ્યા છે.
થોડા સમય પહેલા તેમણે ગાયના માસ માટે આપેલ નિવેદનને પગલે ભાજપના અને વિદ્યાર્થી પરિષદના કેટલાક કાર્યકર્તાઓ નારાજ થયા હતા અને આજરોજ સ્વામી જ્યારે ઝારખંડના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવેલ.