ભાજપના જ એક નેતાએ ઉર્મિલા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, ત્યારે ઉર્મિલા માર્તોંડકરે પણ આ મામલે વળતો જવાબ આપતા કહ્યું કે, મારી વિરૂદ્ધ જે ફરિયાદ દાખલ થઈ છે તે એકદમ નિરાધાર છે.
તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલી અભિનેત્રી ઉર્મિલા માર્તોંડકર વિરૂદ્ધ હિન્દુ ધર્મના અપમાન બદલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. ભાજપના જ એક નેતાએ ઉર્મિલા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, ત્યારે ઉર્મિલા માર્તોંડકરે પણ આ મામલે વળતો જવાબ આપતા કહ્યું કે, મારી વિરૂદ્ધ જે ફરિયાદ દાખલ થઈ છે તે એકદમ નિરાધાર છે.
જે વ્યક્તિએ મારી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે તે ભાજપના જ એક સભ્ય છે અને તેમના ઈરાદા સારા લાગતા નથી. મે મારા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભાજપ દ્વારા હિન્દુ ધર્મના નામ પર જે ફરજી, વહેંચવાની અને હિંસક વિચારધારાને ફેલાવવામાં આવે છે. તેનાથી આપણો હિન્દુ ધર્મ નિરાધાર બની રહ્યો છે. હિન્દુ ધર્મ શાંતિ અને અહિંસાનો ધર્મ છે.
હું એ હિન્દુ ધર્મમાં વિશ્વાસ કરૂ છું જે વસુધૈવ કુટુમ્બકમ અને અહિંસા પરમોધર્મમાં વિશ્વાસ રાખે છે. ત્યારે ઉર્મિલા માર્તોંડકરનું આ નિવેદન ભાજપને સહન થયું નહીં અને ભાજપના જ એક નેતાઓ તેમની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી. ઉર્મિલા માંતોડકરે કહ્યું કે આ એ જ ધર્મ છે જેને આપાણા મહાન લોકમાન્ય તિલક, ગાંધી જી, વિવેકાનંદ અને સરદાર પટેલે જેવા લોકો આગળ લાવ્યાં.
હું આ પ્રકારના હિન્દુ ધર્મમાં વિશ્વાસ રાખુ છું અને એવા ધર્મમાં વિશ્વાસ નથી રાખતી જેને ભાજપ ફેલાવાનો પ્રયત્ન કરી રહ્યું છે. દૂર્ભાગ્યથી આજેના તબક્કામાં ભાજપની વિચારધારા વિરુધ્ધ અવાજ ઉઠાવવો તેમજ સાચુ બોલવાને એવુ કરી દેવામાં આવ્યું છે કે જાણે કોઇ ગુનો કરી દીધો છે.