નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 4થી પત્રકાર પરિષદમાં આત્મનિર્ભર ભારત પેકેજના ભાગ રૂપે 8 અલગ અલગ ક્ષેત્રોમાં જાહેરાતો કરી હતી. આ પૈકી પરમાણુ ઉર્જા, અવકાશ ક્ષેત્રે FMએ કરેલી જાહેરાતોની કોંગ્રેસના નેતા જયરામ રમેશે આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને પરપ્રાંતીય મજૂરો કોરોના સંકટમાં મોતને ભેટી રહ્યા છે તે સમયે સ્પેસ પ્રોજેક્ટની જાહેરાતમાં વ્યસ્ત રહેવું છે.
આ સ્વનિર્ભર નહીં પણ અનિર્ભર ભારત છે: જયરામ રમેશ
આજે FMએ 8 ક્ષેત્રોમાં રિફોર્મ જાહેર કર્યા હતા
કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક સાથે ઘણી બધી ટ્વીટ કરતા લખ્યું હતું કે આજે કામદારો તેમના વતન સલામત પહોંચી નથી શકતા એવામાં નાણામંત્રી ગ્રહો અને અવકાશ યાત્રાનું ખાનગીકરણ કરવાની વાતો કરે છે. આ ખૂબ વિચિત્ર વાત છે!
When migrants can't reach home safely, Finance Minister is talking of opening up planetary exploration and outer space travel to private sector.
તેમણે આગળ કહ્યું હતું કે આ સ્વનિર્ભર નહીં પણ અનિર્ભર ભારત છે. કેન્દ્ર રાજ્યોને તેમના હકનું ભંડોળ આપવાથી વંચિત રાખી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે કાલે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ છે. આશા રાખીએ કે આખરે તેઓ જાહેરાત કરશે કે આવતા 6 મહિના રાજ્યોને પડનારા આર્થિક અને સામાજિક ફટકા સામે રાજ્યોને કેટલું ભંડોળ પ્રદાન કરશે. આ ભંડોળ ન આપવાથી દેશનું અહિત થઇ રહ્યું છે.
Tomorrow is the final press conference of FM
Hope at least in that she will tell us how much funds will be given to states in the next 6 months to deal with the economic & social crisis arising from #COVID19
States are being denied their legitimate dues & this is hurting India.
નોંધનીય છે કે નિર્મલા સીતારમણે આજે કહ્યું હતું કે ISROના સાધનો અને તેમની સુવિધાઓ સ્ટાર્ટ અપ્સ અને ખાનગી કંપનીઓ વાપરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે આજે 8 ક્ષેત્રોમાં રિફોર્મ જાહેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અંતરિક્ષ યાત્રા અને અન્ય ગ્રહોની યાત્રામાં ખાનગી ક્ષેત્ર પણ ઝંપલાવી શકે તેવી યોજના બનાવવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ઈસરો એ દેશનું ગૌરવ છે પણ હવે ખનગી કંપનીઓ પણ ઈસરોની તુલનામાં આવી શકે તેવો વિકાસ સાધવા માટે તૈયાર છે.
દેશમાં છેલ્લા 7 દિવસમાં 70થી વધુ કામદારો દેશમાં રોડ ઉપર, રેલવે અકસ્માતમાં વગેરે કમનસીબ ઘટનાઓમાં પોતાના વતનની તકલીફજનક યાત્રા કરતી વખતે મોતને ભેટ્યા છે. આ કામદારો બેરોજગારીના પગલે લોકડાઉનમાં અન્નજળ ખૂટતા અને પરિવહન સેવાઓ બંધ થઇ જતા પગપાળા પોતાના વતન જવા પ્રવાસ કરી રહ્યા છે. જયરામ રમેશના કહેવા પ્રમાણે દેશમાં ગરીબ કામદારોની ચિંતા કરવાને બદલે સરકાર સ્પેસ પ્રોગ્રામ બનાવવામાં વ્યસ્ત છે.