દેશની મોંઘવારી માટે મનમોહનની સરકાર જવાબદાર હોવાનો મોદી સરકારનો આક્ષેપ છે.
પૂર્વવર્તી સરકારે રાજનીતિ કરી હતી જેથી હાલ મોંઘવારી વધી છે
1.31 લાખ કરોડ રુપિયાના ઓઈલ બોન્ડ્સની ચૂકવણી કરવાની બાકી
પૂર્વની સરકાર સમયે ગમે તેટલા ભાવ વધે જનતા પર બોઝો નહોંતો પડતો કેમ કે...
પૂર્વવર્તી સરકારે રાજનીતિ કરી હતી જેથી હાલ મોંઘવારી વધી છે
દેશમાં અનેક ભાગોમાં પેટ્રોલ 100 રુપિયા પ્રતિલીટર પાર પહોંચી ગયું છે. આ મોંઘવારી સામાન્ય ગ્રાહકોને ત્રાસ વર્તાવી રહી છે. મોદી સરકારનું કહેવું છે કે પૂર્વવર્તી સરકારે રાજનીતિ કરી હતી જેથી હાલની સરકારને ભોગવવી પડી રહી છે. પહેલા કાચું તેલ મોંઘુ થવા પર તેનો સંપૂર્ણ ભાર જનતા પર નહોંતો નાંખવામાં આવતો પરંતુ સબ્સિડીની વ્યવસ્થા હતી. આ સબ્સિડીની રકમના બદલામાં કંપનીઓને ઓઈલ બોન્ડ્સ જારી કરવામાં આવતા હતા. આ બ્રાન્ડસની પરિવક્વતા સમય 10થી 20 વર્ષ રહેતી હતી. આ બોન્ડ્સ પરિપક્વ થઈ રહ્યા છે અને તેની ચુકવણી હાલ કરવી પડી રહી છે.
1.31 લાખ કરોડ રુપિયાના ઓઈલ બોન્ડ્સની ચૂકવણી કરવાની બાકી
પૂર્વની સરકારો તરફથી જારી 1.31 લાખ કરોડ રુપિયાના ઓઈલ બોન્ડ્સની ચૂકવણી હાજર આગામી કેન્દ્ર સરકારે આ વર્ષે ઓક્ટોબરથી લઈને માર્ચ 2016ની વચ્ચે કરવાની રહેશે. આ બોન્ડ્સ આવર્ષે 20 હજાર કરોડ રુપિયાનું વ્યાજ કેન્દ્રએ ચુકવવાનું રહેશે. નાણા મંત્રાલય તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા અનુસાર આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં 5 -5 હજાર કરોડ રુપિયાના બ્રાન્ડસની ચૂકવણીનો બોજ ઉઠાવવાનો છે. આ દશક પહેલા કેન્દ્ર સરકાર તરફથી જારી આ મૂલ્યના 2 બોન્ડ્સ માટે હવે મૂળ તથા વ્યાજ તરીકે 20 હજાર કરોડ રુપિયા ચૂકવવાના છે. આ બાદ વર્ષ 2023માં સરકારને 22 000 કરોડ રુપિયા બોન્ડ્સ અને 2024માં 40 હજાર કરોડ રુપિયા બોન્ડ્સ ચૂકવવાના રહેશે. 2016માં પણ 37 હજાર કરોડ રુપિયા બોન્ડ્સની ચૂકવણીનો બોઝ ઉઠાવવો પડશે.
આ કારણે જનતા પર બોઝો નહોંતો પડતો
ઉલ્લેખનીય છે કે પૂર્વમાં તેલની કિંમત 145 ડોલર પ્રતિ બેરલ થઈ હતી તેમ છતાં તેને બોઝ સામાન્ય જનતા પર નહોંતો નાંખ્યો અને નુકસાનની ભરપાઈ માટે કંપનીને બોન્ડ્સ જારી કર્યા હતા. જેમાં એક નિશ્ચિત અવધિ બાદ વ્યાજ સહિત રાશિ ચૂકવવાનો વાયદો હતો. પૂર્વમાં તેલ કંપનીઓને રોજના પેટ્રોલિયમ ઉત્પાદનોની રિટેલની કિંમતને વધારવાનો અધિકાર નહોંતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચુ તેલ મોંઘુ થવા પર સરકારી તેલ કંપનીઓની કિંમતમાં વૃદ્ધિ માટે કેન્દ્ર સરકાર પાસે પરવાનગી લેવાની રહેતી હતી. ભાવ વધારા માટે કેબિનેટ અને ગઠબંધન દળોની બેઠક બોલાવતા હતા.