બેન્ક ગ્રાહકોને 1 જાન્યુઆરીથી ATMમાંથી કેસ ઉપાડ માટે પહેલાની તુલનામાં વધુ ચુકવણી કરવી પડશે.
1 જાન્યુઆરીથી ATMમાંથી કેસ ઉપાડવું પડશે મોંઘુ
RBIએ જાહેર કરી ગાઈડ લાઈન
જાણો કેટલા વધુ ચુકવવા પડશે ચાર્જ
બેન્ક ગ્રાહકોને 1 જાન્યુઆરીથી ATMમાંથી કેસ ઉપાડવા માટે વધુ પૈસા આપવા પડી શકે છે. મફત મંથલી લિમિટ પુરી થાય બાદ આ ચાર્જ લાગુ થશે. ગ્રાહકોને પોત પોતાની બેન્કો પાસેથી વધેલા ચાર્જ વિશે મેસેજ આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે જૂનમાં જાહેરાત કરી હતી જેમાં દેશની બેન્કોને હવે યુઝર્સ માટે મફત મંથલી લિમિટથી વધુ કેસ અને નોન-કેસ ATM લેવડ દેવડ માટે પૈસા વધારવાની પરવાનગી છે.
ચાર્જમાં આ ફેરફાર 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે. RBIએ પહેલી જાન્યુઆરીએ એક સર્કુલરમાં કહ્યું, બેન્કોના પ્રત્યે લેવડદેવડ 21 રૂપિયા સુધી વધવાની પરવાનગી છે. આ વધારો 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે.
Axis Bankએ કહ્યું કે RBIની ગાઈડલાઈન અનુસાર એક્સિસ બેન્ક અથવા અન્ય બેન્કના ATMમાં મફત સીમા પર નાણાકીય લેવડ દેવલના ચાર્જ 21 રૂપિયા + GST હશે જે 1-1-22થી લાગુ થશે. જાન્યુઆરીથી ગ્રાહકોના મફત ટ્રાન્ઝેક્શનના મંથલી લિમિટથી વધુ થવા પર 20 રૂપિયાની જગ્યા પર ટ્રાન્ઝેક્શન 21 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. ગ્રાહક પોતાના બેન્ક એટીએમમાંથી દર મહિને પાંચ મફત ટ્રાન્ઝેક્સન કરી શકશે. તે મેટ્રો કેન્દ્રોમાં અન્ય બેન્કના એટીએમથી ત્રણ અને નોન મેટ્રો કેન્દ્રમાંથી પાંચ મફત લેવડ દેવડ પણ કરી શકશે.
આ ઉપરાંત કેન્દ્રીય બેન્કોએ બેન્કોના ટ્રાન્ઝેક્શન માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કર્યા છે અને દરેક કેન્દ્રોમાં નોન નાણાકીય લેવડ દેવડ માટે 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ 1 ઓગસ્ટ 2021થી લાગુ હતું.