કારેલાના કડવા સ્વાદને લઇને નાક બગાડવાનુ તમારે છોડી દેવુ જોઈએ. કારેલાના ફાયદા પર વિચાર કરવો જોઈએ. જેનુ સેવન કરવાથી શરીરને અઢળક ફાયદા થાય છે.
કારેલાના કડવા સ્વાદને પસંદ કરવાની ટેવ પાડજો
કારેલાનુ પાણી પીવાથી શરીરને થાય છે અઢળક લાભ
તમારા શરીરને અનેક બિમારીઓથી બચાવે છે
કારેલા ન ગમતા હોય તો કરી લેજો તેની સાથે મિત્રતા
કારેલાનુ નામ સાંભળતા જ ઘણા લોકોનુ મન કડવુ થાય છે, કારણકે તેનો સ્વાદ દરેક વ્યક્તિને પસંદ આવતો નથી. પરંતુ આ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જેમાં ઘણા પ્રકારના એન્ટીઑક્સિડેન્ટ હોય છે, જે તમારા શરીરને અનેક બિમારીઓથી બચાવે છે. ભલે તમે કારેલાને જોવાનુ પસંદ ના કરતા હોય, પરંતુ જો તેના ફાયદા વિશે જાણી લેશો તો કદાચ ના કહેવાની હિંમત નહીં કરો. આવો જાણીએ આ તમારા માટે કઈ રીતે ગુણકારી થઇ શકે છે.
કારેલાનુ પાણી પીવાના ફાયદા
સ્કિન
જો તમે કારેલાનુ પાણી નિયમિત પીશો તો સ્કિનની પરેશાનીઓમાંથી મુક્તિ મળી જશે. ખરેખર તેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીજ હોય છે, જે ખીલ-ડાઘ, સ્કિન ઈન્ફેક્શનથી તમને બચાવે છે.
ડાયાબિટીસ
જે લોકો સવાર-સાંજ કારેલાનુ પાણી પીવે છે તેમનુ બ્લડ શુગર લેવલ મેન્ટેન રહે છે, કારણકે આ શાકભાજીમાં રહેલા એન્ટીઑક્સિડેન્ટ પેનક્રિયાજ ફંક્શનને સારું કરે છે. આ સિવાય મેટાબૉલિજ્મ બુસ્ટ થાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે.
ડાઈજેશન
કારેલાનુ પાણી પીવુ પેટ માટે ગુણકારી હોય છે, કારણકે તેમાં ફોસ્ફોરસની ભરપૂર માત્રા હોય છે, જેનાથી ડાઈજેશન સારું રહે છે અને કબજીયાતની સમસ્યા દૂર થાય છે.
કેવીરીતે બનાવશો કારેલાનુ પાણી?
કારેલાના પાણીને તૈયાર કરવા માટે બે મોટા આકારના કારેલા લો અને તેને બંને તરફથી અડધુ કાપી નાખો. હવે તેને ગેસ પર પાણીમાં ઉકાળી લો. જેને ગેસ પરથી ઉતાર્યા બાદ ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોવો. ઠંડુ થયા બાદ આ પાણીને ગાળી લો અને તેમાં સ્વાદ મુજબ મીઠુ મિલાવી દો. હવે આ પાણીને સ્ટોર કરીને સવાર-સાંજ પીવો.