અમદાવાદઃ બિટકોઈન તોડ કેસમાં રૂ. 1500 કરોડનો આંક વટાવી દેશે એવી CID ક્રાઈમને આશંકા છે. તોડ કેસમાં રાજકારણી અને સુરતના CAનું નામ સામે આવ્યું હતું. ત્યારે આટલા મોટા તોડમાં હજુ ગુજરાત આવકવેરા વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગે છે. કારણ કે કર્ણાટકની ચૂંટણી વખતે ઠેર ઠેર તપાસ કરનારા આવકવેરા વિભાગને બીટકોઈન તોડમાં એક દરોડો સુદ્વાં પાડ્યો નથી. સુરતમાં દરોડાના પાડતા ગુજરાત આવકવેરા વિભાગ શંકાના ઘેરામાં છે. સુરતમાં બિટકોઈનમાં કરોડોનો તોડ થયો હોવા છતાં એક પણ સ્થળે ગુજરાત આવકવેરા વિભાગે દરોડા પાડ્યા નથી. આ બિટકોઈન તોડ મામલે સુરત આવકવેરા વિભાગ ભારે ઉદાસીન છે.
મહત્વનું છે કે હજુ સુધી નલીન કોટડિયા અને સુનીલ નાયર જેવાની સંડોવણી હોવા છતાં તેમની ધરપકડ નથી થઇ. ત્યારે CID ક્રાઇમ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ ફરિયાદી શૈલેશ પટેલ પર કાર્યવાહી થવાથી કેસમાં નવો વળાંક આવી શકે છે.
શૈલેષ ભટ્ટ પર સકંજો !
12 કરોડના બિટકોઇન મામલે તપાસ કરી રહેલી એજન્સી જ જાણે કે શંકાના ઘેરામાં છે. CID ક્રાઇમ બિટકોઇન પ્રકરણમાં હજુ તો નલિન કોટડિયાને ઝડપી શકી નથી. અને હવે ફરિયાદી શૈલેષ ભટ્ટ પર ગાળીયો કસવાના પ્રયાસ થઇ રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી હેડલાઇન બની રહેલા 12 કરોડના બિટકોઇન કેસમાં હવે નવો વળાંક આવી શકે છે. કારણકે કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ જ હવે સીઆઇડી ક્રાઇમની ટીમની રડાર પર છે.
હજુ 12 કરોડ રૂપિયાના બિટકોઇન કેસનો ઉકેલ આવ્યો નથી ત્યાં તો ફરિયાદી શૈલૈષ ભટ્ટ સામે 113 કરોડના બિટકોઇન મામલે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. અને શૈલેષ ભટ્ટના ભાણેજ સહિત બેની ધરપકડ પણ થઇ ગઇ.
કોટડીયાની શું છે ભૂમિકા?
કરોડો રૂપિયાના બીટકોઈન પડાવી લેવાનો મામલો
પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા હતા પતાવટની ભૂમિકામાં?
ફરિયાદીને ગૃહ મંત્રીને મળવા માટે લઈ ગયા હતા કોટડીયા
મુંબઈ સ્થિત કોટડીયાનો ભત્રીજો પણ છે શંકાના દાયરામાં
જગદીશ પટેલની ધરપકડ બાદ કોટડીયા ભૂગર્ભમાં
કોટડીયાના ત્રણેય મોબાઈલ ફોન છે બંધ
નલિન કોટડિયાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર
બહુચર્ચિત બિટકોઈ કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે સમન્સ જાહેર કરાયું હતું. ત્યારે હવે નલિન કોડિયાએ પ્રધાનત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કોટડિયાએ બિટકોઈન કૌભાંડ 50 હજાર કરોડ રૂપિયા હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ મામલે કોટડિયાએ શૈલેષ ભટ્ટ સામે 240 કરોડ રૂપિયાનો ખંડણીનો કેસ નોંધવા માટેનો પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ મામલે સતિષ કુંભાણી અને દિવ્યેશ દરજીને પકડવા માટે કહ્યું છે. સાથે જ કોટડિયાએ કહ્યુ કે દેશમાં ગેરકાયદેસર બિટકોઈનના વ્યવહારો થાય છે. અને શૈલેષ ભટ્ટે પડાવેલા બિટકોઈનમાં મારી પાસે પુરાવા પણ છે. તેમ જણાવ્યુ છે.
મહત્વનુ છે કે આ મામલે VTV દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ કૌભાંડ 10 હજાર કરોડ રૂપિયાનુ હોય તેમ VTV દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું. સાથે જ સતિષ કુંભાણી બિટકોઈનનો સુત્રધાર હોય તેમ તપાસમાં ખુલ્યુ હતુ.
નલીન કોટડિયાના પત્રમાં શું?
સુરતમાં બિટકોઈન કૌભાંડ મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનુ નામ સામે આવ્યું હતું. ત્યારે હવે નલિન કોટડિયાએ CID ક્રાઈમને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કોટડિયાએ લખ્યુ હતું કે હું પોતાના અંગત કામથી રાજ્યની બહાર છું. અને કોટડિયાએ 11મે સુધી ધરપકડ ન કરવા માટે વિનંતી પણ કરી હતી.
કોટડિયાએ જણાવ્યુ કે 12 મેના રોજ તેઓ પોતે CID ક્રાઈમની ઓફિસમાં હાજર થશે. બિટકોઈન મામલે ખુલાસો કરતા કહ્યુ કે આ કેસમાં મારો કઈ પણ લેવા દેવા નથી. મને જે રકમ મળી હતી કે જમીન વેચાણથી મળી છે. તેવું કોટડિયાએ જણાવ્યું હતું પરંતુ હજી સુધી કોટડિયાનો કોઇ પત્તો નથી. CID ક્રાઈમ દ્વારા આપવામાં આવેલા નિયત સમયમાં હાજર ન થતા કોટડીયાની ધરપકડ થઈ શકે છે. નલીન કોટડિયા હાલ ભૂગર્ભમાં છે. CIDએ ટીમો બનાવી નલીન કોટડિયાની શોધખોળ હાથ ધરી છે.
નલિન કોટડિયા સામે લૂક આઉટ નોટિસ જાહેર કરાઇ
મહત્વનું છે કે આ મામલે કિરીટ પાલડીયા અમરેલીના SP જગદીશ પટેલ PI અનંત પટેલ સહિતનાઓની ધરપકડ થઈ ચૂકી છે. હજી સુધી નલિન કોટડિયાની ધરપકડ થઈ નથી. ત્યારે હવે CID ક્રાઈમ દ્વારા કોટડિયાની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વોરન્ટની કાર્યવાહી માટે CID ક્રાઈમ કોર્ટમાં અરજી કરાઇ હતી. જેથી આખરે નલિન કોટડિયા સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. દેશભરના એરપોર્ટ પર જાણ કરવામાં આવી છે. નલિન કોટડિયાની મિલકત પણ સીલ કરવામાં આવશે.
બિટકોઈન કૌભાંડ મામલે CID ક્રાઈમે કોટડિયાને સમન્સ પાઠવ્યું હતું. ત્યારે ફરી નલિન કોટડિયા હાજર ન રહ્યા. બપોરે ત્રણ વાગ્યા પછી હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. પરંતુ કોટડિયાનો ફોન બંધ આવ્યો હતો. અને સોશિયલ મીડિયામાં નિર્દોષ હોવાનો દાવો કરી કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો નલિન કોટડિયાની શોધખોળ અને ધરપકડ શા માટે ન થઇ?
કોટડિયા વિરૂદ્ધ વોરંટની અરજી પર ચુકાદાની સંભાવના
બિટકોઈન કૌભાંડના મામલે નલિન કોટડિયા વિરુદ્વ વોરંટની અરજી પર ચુકાદો આવે તેવી સંભાવના છે. CID ક્રાઈમે સ્પેશિયલ ACB કોર્ટમાં વોરંટ માટે અરજી કરી હતી. CID ક્રાઈમે CRPC કલમ-70ના વોરંટ માટે અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે કિરીટ પાલડિયાની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હતા. પાલડિયાએ 12 કરોડના બિટકોઇન 10 કરોડમાં વેચ્યા હતા. અને તાત્કાલિક બિટકોઈન વેચવાની નોબત આવતા તેણે ઓછા ભાવમાં બિટકોઈન વેચ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયના આદેશ બાદ CID ક્રાઇમને કેસની તપાસ
જેમાં શૈલેષ ભટ્ટના સાગરીત કિરીટ પાલડીયા અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા પણ આ ષડયંત્રમાં સામેલ હોવાનો ખુલાસો થયો. પરંતુ આ મામલે ગુજરાતમાં કોઇ જ મંત્રી કે તપાસ એજન્સીના અધિકારીઓએ વાત ધ્યાને ન લીધી. આખરે પ્રધાનમંત્રી કાર્યાલયે આપેલા આદેશ બાદ સીઆઇડી ક્રાઇમને કેસની તપાસ સોંપવામાં આવી.
બિટકોઇન કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને જ્યારે સોંપાઇ ત્યારે તરત જ અમરેલીના નાના હોદ્દા પર તૈનાત પોલીસકર્મીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. પરંતુ નલિન કોટડિયા સુધી દેશની નામી તપાસ એજન્સી હજુ સુધી પહોંચી શકી નથી. નવાઇની વાત એ પણ છે કે નલિન કોટડિયા ફરાર હોવા છતાં મીડિયાને પત્ર લખીને પોતે નિર્દોષ હોવાનો દાવો કરી રહ્યા છે. સાથે જ શૈલેષ ભટ્ટ પર કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ લગાવે છે. ત્યારે નલિન કોટડિયાની ધરપકડ ન કરીને તેમણે શૈલેષ ભટ્ટ વિરુદ્ધ કરેલા આરોપોની દિશામાં તપાસ કેમ થઇ રહી છે તે એક મોટો સવાલ છે.
CID ક્રાઈમની તપાસ કેમ ફંટાઈ રહી છે?
પહેલા આરોપીઓ પર વરસેલી CID હવે ફરિયાદી પર કેમ ગરજી રહી છે?
બિટકોઈન કેસમાં કેટલાક અનુત્તર સવાલોના જવાબ આજે પણ હાજર છે. ફાર્મ હાઉસ કે જ્યાં શૈલેષ ભટ્ટને ટોર્ચર કરાયો તેના માલિકની કેમ નથી થતી પુછપરછ?
સુનિલ નાયરની કેમ નથી કરતા પુછપરછ?
CBI અધિકારી સુનિલની મેઘાલયમાં કેમ થઈ બદલી?
સુનિલ સામે ખાતાકીય તપાસની વાત હતી તો તે ક્યાં પહોંચી?
નલિન કોટડિયાને કેમ હજુ નથી શોધી શકતી CID?
આરોપીઓને આકાશ-પાતાળમાંથી શોધી લેતી CID કોટડિયાને કેમ નથી શોધી શકતી?
હવે ફરિયાદી પર જ કેમ ગાળીયો કસી રહી છે CID?
સીઆઇડી ક્રાઇમે અત્યાર સુધીમાં અમરેલીના એસ.પી જગદીશ પટેલ પી.આઇ અનંત પટેલ સહિતના આરોપીઓની ધરપકડ કરાઇ હતી. પરંતુ હજુ પણ કેટલાક સળગતા સવાલ સીઆઇડી ક્રાઇમની તપાસ સામે ઉઠી રહ્યા છે.
નલિન કોટડિયાની કેમ નથી થઇ ધરપકડ ?
શું અન્ય કોઇ મોટા ચહેરાનો બચાવવાનો થઇ રહ્યો છે પ્રયાસ ?
શું રાજકીય ઇશારે ચાલી રહી છે તપાસ ?
નલિન કોટડિયા સામે માત્ર સાંકેતીક તપાસ થઇ રહી છે ?
CBIના અધિકારી સુનિલ નાયરની કેમ યોગ્ય રીતે પૂછપરછ ન થઇ ?
12 કરોડ રૂપિયાના બિટકોઇન હાલ કોની પાસે ?
બિટકોઇન કેસની તપાસની દિશા અચાનક કેમ બદલાઇ ?
શું શૈલેષ ભટ્ટની ધરપકડ કરીને ભીનું સંકેલવાના થઇ રહ્યા છે પ્રયાસ ?
આવકવેરા વિભાગની ટીમને કેસની તપાસ અંગે કરવામાં આવી છે જાણ ?
સુનિલ નાયરની કેમ નથી કરતા પુછપરછ?
બિટકોઈન કૌભાંડમાં શૈલૈષ ભટ્ટ પાસેથી ખંડણી ઉઘરાવવાના મામલે વધુ વિગતો સામે આવી હતી. જ્યાં CBIના અધિકારી સુનિલ નાયરને બચાવવાનો તખ્તો તૈયાર કરાયો હતો. CBIના અધિકારી નાયરે શૈલેષ ભટ્ટ પાસેથી પાંચ કરોડ પડાવ્યા હતા. બિટકોઇનના નામે દબાણ કરી નાયરે મોટી કળા કરી હતી. શૈલેષ ભટ્ટ પાસેથી કરોડો પડાવનારને અધિકારીને મળી રાહત?
CBI અધિકારી સુનિલ નાયરની બદલી
સુરતમાં બિલ્ડર પાસેથી બિટકોઈન પડાવી લેવાના મામલે CBI અધિકારી સુનિલ નાયરની બદલી કરી દેવામાં આવી હતી. સુનિલ નાયરની બદલી ગુજરાતમાંથી મેઘાલય કરી દેવામાં આવી હતી. નેતાઓને આજીજી કર્યા બાદ નાયરની બદલી કરાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સુનિલ નાયરની શું છે ભૂમિકા?
સુનિલ નાયર CBI અધિકારી છે. બિટકોઈન કેસમાં સુનિલ નાયરની પણ સંડોવણી છે. સુનિલ નાયરે પણ શૈલેષ ભટ્ટ પાસેથી પડાવ્યા બિટકોઈન હતા. કિરીટ પાલડિયા સુનિલ નાયરના નામથી શૈલેષ ભટ્ટને ધમકાવતો હતો. નાયરે ભટ્ટ પાસેથી 5 કરોડ પડાવ્યાનો આરોપ છે. શૈલેષ ભટ્ટે CBI અધિકારીની તમામ વિગતો આપી હતા. કોટડિયા-પાલડિયાની સાઠગાંઠમાં નાયર હાથો બન્યા હતા. પાલડિયા નાયરના નામે ભટ્ટને ડરાવતો હતો. બિટકોઈનની વિગતો પાલડિયાએ જ નાયરને આપી હતી. નાયરે સત્તાવાર કાર્યવાહી વિના ભટ્ટ પાસેથી 5 કરોડ લીધા હતા.
નાયરને કોણ બચાવે છે?
શું સુનિલ નાયરને બચાવવા પાછળ મોટા નેતાઓનો હાથ છે? સુનિલ નાયરની હજુ સુધી ધરપકડ કરાઈ નથી. સુનિલ નાયરે મોટા નેતાઓ સાથે બેઠક કરી હતી. પોતાને બચાવવા સુનિલ નાયરે નેતાઓ પાસે આજીજી કરી હતી. ત્યારબાદ તેમની બદલી મેઘાલયમાં કરવામાં આવી હતી.
ત્યારે અહી અનેક સવાલો ઉભા થાય છે. સુનિલ નાયરની માત્ર બદલી કરીને મનાયો સંતોષ? ખંડણીખોર અધિકારીઓને કેમ બચાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ? CID ક્રાઇમ પ્રત્યે જનતાનો વિશ્વાસ નહીં તૂટે? નાયરની ધરપકડ નહીં થાય તો CIDની તપાસ પર ઉઠી શકે છે સવાલ.
કોંભાંડનો આંક 1500 કરોડની પાર પોલીસને શંકા
બિટકોઈન તોડ કેસમાં રૂ. 1500 કરોડનો આંક વટાવી દેશે એવી CID ક્રાઈમને આશંકા છે. તોડ કેસમાં રાજકારણી અને સુરતના CAનું નામ સામે આવ્યું હતું. ત્યારે આટલા મોટા તોડમાં હજુ ગુજરાત આવકવેરા વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગે છે. કારણ કે કર્ણાટકની ચૂંટણી વખતે ઠેર ઠેર તપાસ કરનારા આવકવેરા વિભાગને બીટકોઈન તોડમાં એક દરોડો સુદ્વાં પાડ્યો નથી. સુરતમાં દરોડાના પાડતા ગુજરાત આવકવેરા વિભાગ શંકાના ઘેરામાં છે. સુરતમાં બિટકોઈનમાં કરોડોનો તોડ થયો હોવા છતાં એક પણ સ્થળે ગુજરાત આવકવેરા વિભાગે દરોડા પાડ્યા નથી. આ બિટકોઈન તોડ મામલે સુરત આવકવેરા વિભાગ ભારે ઉદાસીન છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નાણા મંત્રાલયે પણ સુરત આવકવેરા વિભાગની ઉદાસીનતાની ગંભીર નોંધ લીધી છે. ત્યારે અહીં ગુજરાત આવકવેરા વિભાગ સામે અનેક સવાલો થાય છે. બીટકોઈન તોડમાં IT વિભાગને કોઈ રસ નથી? કરોડોના બીટકોઈન તોડમાં ગુજરાત IT ક્યારે જાગશે? આટલા મોટા તોડમાં ITની કેમ તપાસ થતી નથી? શું બીટકોઈન તોડમાં સુરત ITની મિલીભગત? કેમ IT વિભાગે સુરતમાં દરોડા નથી પાડ્યા? શું IT વિભાગ પર ઉચ્ચટોચના નેતાઓનું દબાણ? CID ક્રાઈમ કેમ દરોડાની રજૂઆત નથી કરતી? CID ક્રાઈમના વડા આશિષ ભાટિયા કેમ કોઈ રજૂઆત નથી કરતા? આશિષ ભાટિયા કેમ ગુજરાત ITને વાત નથી કરતા? CID ક્રાઈમ કેમ ગુજરાત ITની મદદ નથી લેતી? જેવા અનેક સવાલો ગુજરાત IT વિભાગ સામે થાય છે.
બિટકોઈન તોડકાંડ કેસ મામલે હવે CIDની ટીમે ફરિયાદી શૈલેષ ભટ્ટ સહિત અન્ય ઈસમોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો હતો. ફરિયાદી ખુદ ફસાયા હોવાના અહેવાલો સામે આવતા CIDની ટીમે કુલ 8 જેટલી ટીમો બનાવી છે. મુખ્ય ફરિયાદી સહીત અન્ય આરોપીઓને ઝડપી પાડવા CIDની ટીમે સમન્સ પણ પાઠવ્યું હતું.
મહત્વનું છે કે બિટકોઈન ટ્રાન્સફર કેસમાં કુલ 8 આરોપીઓ હાલ ફરાર છે જેને ઝડપી પાડવા CIDએ ઉલટ તપાસ પણ શરૂ કરી હતી.