સુરતઃ બીટકોઇન કૌભાંડનો મામલે અમરેલી SP જગદીશ પટેલ ફરીથી રજા પર ઉતરી ગયા છે. જગદીશ પટેલ કેસ રફેદફે કરવાની ફિરાકમાં હોય તેવું જણાઇ રહ્યુ છે. મહત્વના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જોઇએ એ તો જગદીશ પટેલે રાજકીય આગેવાનોનો સંપર્ક કર્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.
એક પૂર્વ સી.એમ.ના પુત્ર સાથે મળી કેસ રફેદફે કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. બીટકોઇન કૌભાંડમાં અત્યાર સુધી માત્ર 3 આરોપીઓની જ ધરપકડ કરવામાં આવી છે.
નલીન કોટડિયાનું નામ પણ બીટકોઇન કૌભાંડમાં ઉછળ્યું હતું. મુખ્ય આરોપી LCB પી.આઇ. અનંત પટેલ પણ હજુ પકડથી દૂર છે. CIDની તપાસમાં પણ ઢીલાશ વર્તાઇ રહી છે.