બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:07 PM, 23 January 2024
ADVERTISEMENT
અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. નોઈડામાં બિસરખ ગામમાં આવેલ ઐતિહાસિક મંદિરમાં પણ સોમવારે પ્રથમ વાર ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રાચીન મંદિરમાં રાવણની પૂજા કરવામાં આવે છે. સ્થાનિક લોકો આ સ્થળને રાવણનું જન્મસ્થળ માને છે. આ મંદિરના મુખ્ય પૂજારી મહંત રામદાસે જણાવ્યું કે, "પહેલીવાર મંદિર પરિસરમાં ભગવાન રામ તેમજ સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિઓ સંપૂર્ણ વિધિ સાથે સ્થાપિત કરવામાં આવી."
પહેલીવાર રામમયી બન્યું રાવણનું ગામ
આ મંદિરમાં 40 વર્ષ કરતા વધુ સમયથી સેવા આપતા પૂજારીએ જણાવ્યું કે, ‘આ મૂર્તિઓ રાજસ્થાનથી લાવવામાં આવી છે.’ અયોધ્યામાં ભગવાન રામની સ્થાપના કરવામાં આવી હતી, તે જ સમયે બિસરખના મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે, રાવણનો જન્મ નોઈડાના બિસરખ ગામમાં થયો હતો. ગ્રામજનો આ વાત સાચી હોવાનો દાવો કરે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ભગવાન રામનું એક એવું મંદિર, જ્યાં તેમના હાથમાં ધનુષ બાણ જ નથી, કારણ રસપ્રદ
આ ગામમાં દશેરાની ઊજવણી થતી નથી
સમગ્ર દેશમાં દશેરાની ઊજવણી કરવામાં આવે છે, જ્યારે આ ગામમાં ગ્રામજનો રાવણના મૃત્યુ દિવસ દશેરાની ઊજવણી કરતા નથી. આ ગામમાં નવ દિવસ શોક રહે છે અને રાવણના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે અને યજ્ઞ પણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ધર્મ / આ લોકોના નસીબમાં નથી હોતો પ્રેમ, કુંડળીમાં આ ગ્રહો અને યોગને કારણે દર વખતે તૂટી જાય છે દિલ!
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.