સોનુ ખરાબ સમયમાં કામમાં આવે તેવુ સાધન માનવામાં આવે છે. ઘણા ભારતીય પરિવારો આજે પણ તેના પર ભરોસો કરે છે. આ જ કારણ છે કે નોટબંધી હોય કે લોકડાઉન. મુશ્કેલીના સમયમાં સોનુ કામમાં આવે છે.
1 જૂનથી લાગુ થશે સોનુ ખરીદવા અને વેચવાનો નવો નિયમ
ગ્રાહકોને આપવામાં આવશે શુદ્ધતાની ગેરંટી
એએચસી પર સોનાના ઘરેણાની શુદ્ધતાની તપાસ કરાવી શકે છે
હોલમાર્કિગનો બીજો તબક્કો આ વર્ષે 1 જૂનથી શરૂ થશે
તમે વારંવાર સોના જેવી કિંમતી ચીજ વસ્તુને લેવા માટે ઓળખીતા દુકાનદાર પર જ ભરોસો કરશો. પરંતુ તમારો ભરોસો ઘણી વખત તોડી નાખવામાં આવે છે. 22 કેરેટ કહીને ઓછા કેરેટના ઘરેણા આપી દેવામાં આવે છે. પરંતુ કદાચ હવે એવુ નહીં થાય. સોનાના ઘરેણા અને કલાકૃતિઓની જરૂરી હોલમાર્કિગનો બીજો તબક્કો આ વર્ષે 1 જૂનથી શરૂ થશે. ગ્રાહક મામલાના મંત્રાલયે કહ્યું કે આવશ્યક હૉલમાર્કિગના બીજા તબક્કાના દાયરામાં સોનાના ઘરેણાના ત્રણ મોટા કેરેટ 20, 23 અને 24 કેરેટ સિવાય 32 નવા જિલ્લા આવશે. જ્યાં પહેલા તબક્કાના ક્રિયાન્વયન બાદ પરખ અને હૉલમાર્ક કેન્દ્ર એટલેકે એએચસી સ્થાપિત કરવામાં આવ્યું છે.
દેશના 256 જિલ્લામાં લાગુ થયો હતો નિયમ
16 જૂન 2021 સુધી હૉલમાર્કિગનો નિયમ સ્વૈચ્છિક હતો. ત્યારબાદ સરકારે સોનાના જરૂરી હૉલમાર્કિગને તબક્કાવાર રીતે લાગુ કરવાનો નિર્ણય લીધો. પહેલા તબક્કામાં દેશના 256 જિલ્લાને તેના દાયરામાં લાવવામાં આવ્યાં. જ્યા દરરોજ હૉલમાર્ક વિશિષ્ટ ઓળખની સાથે 3 લાખથી વધુ સોનાના આભૂષણો પર હોલમાર્ક લગાવવામાં આવે છે. મંત્રાલય મુજબ બીઆઈએસની એક જોગવાઈ હેઠળ સામાન્ય ગ્રાહક પણ બીઆઈએસ દ્વારા માન્યતા પ્રાપ્ત એએચસી પર સોનાના ઘરેણાની શુદ્ધતાની તપાસ કરાવી શકે છે.
ગ્રાહકો પર શું થશે અસર?
હવે આ જાણી લો કે તેની ગ્રાહકો પર શું અસર થશે. ગોલ્ડ હોલ્માર્કિગના નિયમ ફક્ત જ્વેલર્સ માટે છે. આ ગ્રાહકો પર લાગુ થયા નથી. જ્વેલર્સ હવે હોલમાર્ક વગરની જ્વેલરીને ગ્રાહકને વેચી શકે નહીં. પરંતુ ગ્રાહક પોતાના હોલમાર્કવાળા જૂના ઘરેણાને હજી પણ જ્વેલર્સને પહેલાની જેમ વેચી શકે છે. એટલેકે ઘરમાં રાખવામાં આવેલા પોતાના હોલમાર્કવાળા ઘરેણાને હોલમાર્ક કરાવવાની ચિંતા કરવાની જરૂર નથી.