BIS certificationને હવે મિનરલ વોટર બનાવનારી કંપનીઓએ જરૂરી કર્યું છે. આ સાથે તેના વિના FSSAIનું લાયસન્સ પણ મળી શકશે નહીં.
FSSAIના નવા આદેશ 1 એપ્રિલથી નિયમ લાગૂ થશે
BIS certificationને બનાવાયું જરૂરી
BIS સર્ટિફિકેટ વિના FSSAIનું લાયસન્સ પણ મળશે નહીં
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણના બોટલ બંધ પાણી અને મિનરલ વોટર વિનિર્માતાઓને માટે લાયસન્સ મેળવવા માટે અને રજિસ્ટ્રેશન માટે ભારતીય માનક બ્યૂરોનું પ્રમાણ (BIS certification) અનિવાર્ય કરાયું છે. દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ખાદ્ય આયુક્તને મોકલાયેલા પત્રમાં FSSAIએ આ આદેશ આપ્યા છે, આ નવા નિયમો 1 એપ્રિલ 2021થી લાગૂ કરાશે.
FSSAIએ કહ્યું છે આવું
FSSAIએ કહ્યું છે કે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ 2008ના આધારે દરેક ખાદ્ય કારોબાર પરિચાલકોને માટે કોઈ ખાદ્ય કારોબાર શરૂ કરતા પહેલાં લાયસન્સ / રજિસ્ટ્રેશન મેળવવાનું અનિવાર્ય રહેશે. નિયામકે કહ્યું કે ખાદ્ય સુરક્ષા અને માનક નિયમન 2011ના આધારે કોઈ પણ વ્યક્તિ બીઆઈએસ સર્ટિફિકેટ બાદ જ બોટલ બંધ પાણી વેચી શકે છે.
ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માટે લાયસન્સ બન્યુ જરૂરી
FSSAIએ કહ્યું કે એવો રિપોર્ટ છે કે અનેક કંપનીઓ લાયસન્સ સાથે બિઝનેસ કરી રહી છે પણ તેમની પાસે બીઆઈએસ સર્ટિફિકેશન નથી. 1 એપ્રિલથી નવા નિયમના આધારે FSSAIના લાયસન્સને માટે પણ બીઆઈએસ લાયસન્સ કે તેની એપ્લીકેશન પણ જરૂરી રહેશે. એપ્લીકેશનના સમયે જ ફૂડ બિઝનેસ ઓપરેટર્સે બીઆઈએસ લાયસન્સની કોપી અપલોડ કરવાની રહેશે.
બીઆઈએસ લાયસન્સ થયું જરૂરી
જો કોઈ એફબીઓનું બીઆઈએસ લાયસન્સ કેન્સલ કરાય છે તો તેની જાણકારી FSSAIને આપવાની રહેશે. આ પછી FSSAI પોતાનું લાયસન્સ કેન્સલ કરે છે. તે સસ્પેન્ડ કે રીજેક્ટ પણ કરી શકાય છે.