જે ખિલાડીએ ભારતીય ક્રિકેટને નવી ઓળખ આપી, આજે તે 46 વર્ષનો થઇ ગયો છે અને તે બીજુ કોઇ નહી- સચિન રમેશ તેંડુલકર છે. ક્રિકેટને ધર્મ અને સચિનને ભગવાન બતાવવા કરોડો ફેન્સ માટે આજનો દિવસ કોઇ તહેવારથી ઓછો નથી.
24 એપ્રિલ 1973માં મુંબઇમાં શિવાજી પાર્ક રાણાડે રોડ સ્થિત નિર્મલ નર્સિગ હોમમાં સચિનનો જન્મ થયો હતો. જ્યારે પણ સચિન વિશે વાત થાય ત્યારે તેની ગેમ, રેકોર્ડને ચોક્કસપણે યાદ કરવામાં આવે છે, 16 નવેમ્બર 2013એ સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં હજારો ફેન્સ સામે સચિને પોતાની રિટાયરમેન્ટ સ્પિચમાં ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓને રડવા દીધા હતા.
સચિને જે સ્ડેયિયમ ખાતે કરિયરની શરૂઆત કરી એ જ ગ્રાઉન્ડ પર પોતાના પરિવાર અને ટીમની વચ્ચે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો. માસ્ટર બ્લાસ્ટર જ્યારે છેલ્લી વખત ગ્રાઉન્ડ પર આવ્યો ત્યારે 22 યાર્ડની આ પિચને પગે લાગ્યો. વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ઘ બીજી અને છેલ્લી મેચ ખત્મ થયા પછી રવિ શાસ્ત્રીએ તેણે સવાલ પૂછવાની જગ્યાએ, તેણે માઇક સોંપી દીધુ હતુ.
સચિને પોતાની ફેરવેલ સ્પીચમાં શું કહ્યું...
ગત 24 વર્ષોમાં મારૂ જીવન 22 ગજમાં સમેટાયેલું રહ્યું. હું તમામના નામ લખીને લાવ્યો છું જેથી કોઇને ભૂલી ન જાઉ.
પિતા માટે: તેમના નિર્દેશન વગર હું તમારી સામે આ સમયે ના ઉભો હોત. 11 વર્ષની ઉમરમાં તેમને મને કહ્યું કે પોતાના સ્વપ્નનો પીછો કરો. જ્યારે પણ મે કઇક ખાસ કર્યુ અને પોતાનું બેટ હવામાં ઉઠાવ્યુ, આ તેમની માટે જ હતું.
માતા માટે: મને સંભાળવો આસાન નહતો, તેમને મારા જેવા તોફાની બાળકને કઇ રીતે સંભાળ્યો હશે, તેમને દરેક વખતે મારા સ્વાસ્થ્યની ચિંતા રહેતી હતી. જે દિવસે મે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ, તેમને મારા માટે પ્રાર્થના શરૂ કરી દીધી હતી, તેમની દુઆઓને કારણે જ હું અહી સુધી પહોચ્યો.
અંકલ-આન્ટી માટે: સ્કૂલના દિવસોમાં ચાર વર્ષ સુધી પોતાના અંકલ-આન્ટી પાસે રહ્યો કારણ કે મારૂ ઘર સ્કૂલથી દૂર હતું, તેમને મારી માટે ઘણી મહેનત કરી. આન્ટી સવારે ઉઠીને મને જમવાનું આપતી અને પ્રેક્ટિસમાં મોકલતી હતી, તેમને મને પોતાનો પુત્ર ગણ્યો હતો. હું તેમનો આભાર માન્યા વગર રહી શકતો નથી.
કોચ માટે: 11 વર્ષની ઉમરમાં મારી કારકિર્દી શરૂ થઇ, પરંતુ મારી કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ એ હતો કે જ્યારે મારો ભાઇ અજિત મને આચરેકર સર પાસે લઇ ગયો. મારી અંતિમ મેચમાં સ્ટુડન્ટને જોવુ મારા માટે ગર્વની વાત હતી. સર મને પોતાના સ્કૂટર પર મુંબઇના એક મેદાનથી બીજા મેદાન સુધી લઇ જતા હતા જેથી મારી વધુમાં વધુ મેચ પ્રેક્ટિસ થાય, પરંતુ ગત 29 વર્ષોમાં તેમને મને ક્યારેય વેલ પ્લેડ નથી કહ્યું, તેમને ડર હતો કે હું વધુ ખુશ ન થઇ જાઉ અને મહેનત કરવાનું ન છોડી દઉં. સર, તમે મને કહી શકો છો કે વેલ પ્લેડ સચિન. હવે કોઇ મેચ બાકી નથી.'
ભાઇ-બહેન માટે: હું મારા મોટા ભાઇ અજિત તેંડુલકરનો આભાર માનું છું કે જેમને મને કોચ રમાકાન્ત આચરેકર સાથે મુલાકાત કરાવી, જે બાદ મારૂ જીવન જ બદલાઇ ગયું. મારા ભાઇ નિતિન અને બહેન સવિતાએ મને બધુ આપ્યુ. સવિતાએ મને સૌથી પ્રથમ બેટ આપ્યુ હતુ, જ્યાંથી આ સફર ચાલુ થઇ. મારા ભાઇએ મારી માટે પોતાની કારકિર્દીનું બલિદાન આપ્યુ હતું.
પત્ની અંજલિ માટે: 1990માં મારી સાથે સૌથી ખુબસુરત વાત થઇ, જ્યારે હું અંજલિને મળ્યો હતો. તે ખાસ વર્ષ હતા. અંજલિ ડોક્ટર છે, તેની સામે શાનદાર કારકિર્દી હતી. જ્યારે અમે પરિવાર વધારવા વિશે વિચાર્યુ તો અંજલિ પોતાની કારકિર્દીથી પાછળ હટી અને બોલી કે તમે ક્રિકેટમાં આગળ વધો, હું પરિવાર સંભાળીશ. અંજલિ, તમે મારી લાઇફની બેસ્ટ પાર્ટનરશિપ છો.
બાળકો માટે: બાળકો મોટા થઇ ગયા છે ? મારી પુત્રી 16 વર્ષની છે અને પુત્ર 14નો. હું તેમની સાથે સમય વિતાવવા માંગતો હતો, તેમના જન્મ દિવસ, સ્પોર્ટ્સ ડેને મે મિસ કર્યા. તમે બન્ને મારી માટે ઘણા સ્પેશિયલ છો. બસ હવે, આવનારા વર્ષો તમારા છે.
મિત્રો માટે: 'તે એવા મિત્રો હતા જે તેમનું કામ છોડીને મને બોલ ફેકતા હતા. જ્યારે પણ મને લાગ્યુ કે ઇજાને કારણે મારી કારકિર્દી ખતમ થઇ રહી છે ત્યારે તેમને મને વિશ્વાસ અપાવ્યો કે મારી રમત હજુ પૂર્ણ થઇ નથી.'
ક્રિકેટના સાથીઓ માટે: સચિને મેદાનને, મુંબઇ ક્રિકેટ એશોશિએશન, બીસીસીઆઇ, પોતાના સિલેક્ટર્સ, સીનિયર્સ, સાથી ખેલાડીઓ રાહુલ દ્રવિડ, લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, પોતાના પ્રથમ મેનેજર માર્ક મસ્ટ્રેનર્સ, તમામ કોચ, ડોક્ટર્સ, ફિઝિયો અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો હતો.
પ્રશંસકો માટે: મારી સ્પીચ લાંબી થઇ રહી છે...બસ અંતિમ વાત.' હું આખા વિશ્વમાંથી આવેલા તમામ લોકોનો આભાર માનુ છું. તમારો સપોર્ટ મારી માટે કિમતી છે. સમય ઘણો ઝડપી વીતી ગયો પરંતુ આ યાદો હંમેશા મારી સાથે રહેશે. એક વાત જે હંમેશા મારી અંદર ગૂંજતી રહે છે, તે છે...સચિન...સચિન... આ અંતિમ શ્વાસ સુધી મારી અંદર ગૂંજતી રહેશે...ગુડ બાય.'
એમ લાગી રહ્યું છે કે પોતાના રિટાયરમેન્ટના પ્રસંગે સચિન કોઇને ભૂલવા માંગતો નહતો, માટે તેને મીડિયા અને ફોટોગ્રાફર્સનો પણ આભાર માન્યો હતો.