ધીરે ધીરે ગુજરાત માથે બર્ડફ્લૂનો ખતરો વધી રહ્યો છે એક પછી એક પક્ષીઓના મોતને પગલે સૂરત બાદ હવે સૂરેન્દ્ર નગરમાં પણ 8 માદા મોર અને 1 તેતર મૃત મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગરના લખતરમાં પક્ષીઓના મૃત્યુ
8 માદા મોર અને 1 તેતર મૃત હાલતમાં મળી આવ્યા
વનવિભાગની ટીમ ઘટનાસ્થળે
સુરેન્દ્રનગરમાં પક્ષીઓના મોતથી ખળભળાટ મચી ગયો છે. લખતરના ઓળક ગામે મૃત પક્ષીઓ મળી આવ્યા છે. 8 માદા મોર અને 1 તેતર મૃત હાલતમાં મળ્યા છે. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃત પક્ષીઓને પીએમ માટે મોકલાયા છે.
સુરતમાં પણ બર્ડ ફ્લીની દહેશત
સુરતમાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે સુરતમાં મરઘાના RT-PCR ટેસ્ટ કરાશે. માંડવી ઓલપાડ વિભાગમાં 16 ટીમો સર્વે કરશે . બારડોલી મઢીમાં 4 કાગડાના મોત બાદ તંત્ર જાગ્યુ છે. કાગડાના સેમ્પોલ લઇ ભોપાલ મોકલાયા છે. 70 જેટલા પોલ્ટ્રી ફાર્મ પર તપાસ કરાશે.
દેશના 8 રાજ્યમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે ત્યારે હવે ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશત છે. બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને લઈને ગુજરાત સરકાર હરકતમાં આવી છે. આ બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓમાં જ નહીં પરંતુ પશુઓ અને માણસોમાં પણ ફેલાય છે. હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ બેલની મદદ લઇને મરણનું કારણ અને રોગ જાણવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં હવે માંદા અને મૃત મરઘાના પણ RT PCR ટેસ્ટ પણ કરવામાં આવશે.
53 પક્ષીઓનાં મૃત્યુ થયા હતા
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવાના ખારા ડેમ પાસે ટીટોડી, બગલી, બતક, નકટો સહિતના 53 પક્ષીઓનાં મૃત્યુ થયા હતા. આ મૃત્યુ બર્ડ ફ્લૂથી થયાં છે કે નહીં એ ચકાસવા માટે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી અપાયા હતા. જોકે આ અંગે હવે ગુજરાત માટે એક રાહતના સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગુજરાતમાં હજુ સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નથી. આ પક્ષીઓ બર્ડ ફ્લૂના કારણે મૃત્યુ નથી પામ્યાં. માણાવદરમાં પક્ષીઓના થયેલા મૃત્યુ ફૂડ પોઇઝનિંગના કારણે થયા હોવાની પુષ્ટી થઇ છે. મહત્વનું છે કે, માણાવદરમાં 50થી વધુ પક્ષીઓના શંકાસ્પદ રીતે મૃત્યુ થયા હતા. જોકે હજુ પણ બર્ડ ફ્લૂ અંગે સરકાર અલર્ટ છે.
માનવી માટે ખતરનાક
બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.
શેનાથી ફેલાય છે ?
એવિયન ઈન્ફ્લૂએન્જા -H5N1 વાયરસ બર્ડ ફ્લૂના નામથી જાણીતો છે. આ ખતરનાક વાયરસ પક્ષીઓને અધિક પ્રભાવિત કરે છે. ખાસ કરીને મરઘાં-મરઘીઓ અને અન્ય પક્ષીઓ તેનો શિકાર ઝડપથી બને છે. તેની અસરથી પક્ષીઓ અને માણસો મોતને ભેટી શકે છે. WHOના આંકડા અનુસાર 2003 પછી બર્ડ ફ્લૂની બિમારીથી 332 લોકોના મોત નીપજ્યા છે. તો WHO ના એક રિસર્ચ અનુસાર H5N1 વાયરસ પર જો કાબૂ ન કરી શકાય તો ભયંકર રોગચાળો ફેલાઈ શકે છે.
બર્ડ ફ્લૂના લક્ષણો
હંમેશા કફ રહેવા
નાકમાંથી પાણી નીકળવું
સતત માથાનો દુખાવો રહેવા
ગળામાં સોજો
સાંધામાં દુખાવો
જાડા-ઉલ્ટી પેટમાં દુખાવો
પેટથી નીચેના ભાગમાં દુખાવો
શ્વાસ લેવામાં તકલીફ
હંમેશા કફ રહેવો નાકમાંથી પાણી નીકળવું સતત માથાનો દુખાવો રહેવો ગળામાં સોજો સાંધામાં દુખાવો જાડા-ઉલ્ટી પેટમાં દુખાવો પેટથી નીચેના ભાગમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ શ્વાસ લેવામાં તકલીફ નિમોનિયા થવો. આ પ્રકારના લક્ષણો હોય તો બર્ડ ફ્લૂ થાય છે. સંક્રમિત મરઘાઓ કે અન્ય પક્ષીઓની વધારે નજીક રહેવાથી બર્ડ ફ્લૂ ફેલાય છે..પછી એ જીવતા હોય કે મરેલા..માણસોમાં આ વાયરસ આંકો મોં કે નાક દ્વારા ફેલાય છે. એ સિવાય મરઘા કે પક્ષીઓની સફાઈ કરવાથી ફેલાય છે.
હજી સુધી એ નક્કી નથી થઈ શક્યુ કે નોનવેજ ફૂડથી પણ વાયરસ ફેલાય છે કે નહીં. એટલું ચોક્કસ છે કે બર્ડ ફ્લૂની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો મોત નીપજી શકે છે. બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળવું. વાયરસને ઓછો કરવા સંપૂર્ણ આરામ કરવો. હેલ્ધી ડાયટ લેવું જેમાં વધારે પ્રવાહી લેવું. અન્ય લોકોમાં વાયરસ ફેલાય નહીં એ માટે દર્દીને એકાંતમાં રાખવો. તેનો ઈલાજ એન્ટી વાયરલ ડ્રગ ઓસેલ્ટામિવિર અને જાનામિવિરથી કરવામાં આવે છે.
ચિંતાનો વિષય
ભારતમાં 5 ડિસેમ્બર 2016થી એવિયન ઈન્ફ્લૂએન્જા -H5N1 વાયરસથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે અને તેની જાણકારી વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠનને પણ કરવામાં આવી છે. દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ફરીથી H5N1 વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.