અમદાવાદમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી છે. કોરોના બાદ હવે બર્ડ ફ્લૂને લઇ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. નારોલમાં કબૂતરોના મૃત્યુ થવાનો સિલસિલો યથવાત જોવા મળી રહ્યો છે.
2 દિવસમાં 200થી વધુ કબૂતરોના મોત
નારોલમાં 2 દિવસમાં 200થી વધુ કબૂતરોના મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે. નારોલના આકૃતિ ટાઉનશીપમાં 120 કબૂતરોના મૃત્યુ થયા છે જ્યારે ર્મકુંજ રેસિડન્સીમાં 30 કબૂતરોના મૃત્યુ થયા છે. અતિથી એવન્યૂમાં 21 કબૂતરોના મૃત્યુ જ્યારે વેદિકા રેસીડન્સી માં 30 કબૂતારોના મૃત્યુ થતાં લોકોમાં ભય વ્યાપી ગયો છે.
બર્ડ ફ્લૂની આશંકાને લીધે આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયુ છે. મૃત પક્ષીના સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા છે.