કોરોના વાયરસની સાથે સાથે હવે બર્ડ ફ્લૂનો કહેર પણ દેશના અનેક વિસ્તારોમાં વધી રહ્યો છે. કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં 4 રાજ્યો કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લૂની ખરાઈ કરી છે. સાથે સરકારે તમામ રાજ્યોને કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. આ ચાર રાજ્યો ઉપરાંત દેશના અનેક રાજ્યોમાંથી પક્ષીઓના મરવાના સમાચાર સતત આવી રહ્યા છે. મરઘી ઉપરાંત કાગડા અને પ્રવાસી પક્ષીઓના અસામાન્ય મોતના સમાચાર મળી રહ્યા છે
હિમાચલમાં પક્ષીઓનું થઈ રહ્યું છે મોત
કેરળ બાદ કર્ણાટકમાં પણ એલર્ટ
ગુજરાતમાં એલર્ટ જારી
ચિકનની દુકાનોને એક અઠવાડિયા માટે બંધ રાખવાનો આદેશ
મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 8 જિલ્લામાં બર્ડ ફ્લૂ ફેલાઈ ચૂક્યો છે. સરકારે ઈન્દોર અને નીમચ જિલ્લામાં મરઘીમાં બર્ડ ફ્લૂની ખરાઈ બાદ આ વિસ્તારોમાં ચિકનની દુકાનોને એક અઠવાડિયા માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સરકારી અધિકારીઓના જણાવ્યાનુંસાર 8 જિલ્લામાં કાગડાના મૃતદેહોના નમૂનામાં અને નીમચ અને ઈન્દોર જિલ્લામાં ચીકનના નમૂનામાં એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂ વાયરસ જોવા મળ્યો છે. રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાન(એનઆઈએસએસએડી), ભોપાલે ઈન્દોર, નીમચ, દેવાસ, ઉજ્જૈન, ખંડવા, ખરગૌન અને ગુના જિલ્લામાં કાગડાના નમૂનામાં બર્ડ ફ્લૂ વાયરસની હાજરીની પુષ્ટિ કરી છે.
હિમાચલમાં પક્ષીઓનું થઈ રહ્યું છે મોત
દેશમાં ગુરુવારે અનેક રાજ્યોમાં અને વધુ પક્ષીઓનું મોત થવાનો મામલો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં 381 પ્રવાસી પક્ષી મૃત મળી આવ્યા હતા. જ્યારે કેરળના 2 જિલ્લામાં પરિસ્થિતિનું નિરિક્ષણ કરવા માટે કેન્દ્રીય ટીમ પહોંચી છે. જ્યાં હજારો મરઘી અને બતકો માર્યા ગયા છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 34, 09 લોકોના મોત નીપજી ચૂક્યા છે. પોંગ નમ ભૂમિ વિસ્તારની આસપાસ ગત કેટલાક દિવસોમાં 64 કાગડા મૃત જોવા મળ્યા છે.
કેરળ બાદ કર્ણાટકમાં પણ એલર્ટ
કેરળ સરકારના નિવેદન અનુસાર બર્ડ ફ્લૂને નિયંત્રિત કરવા માટે બતકો અને મરઘી-મરઘા સહિત 69000થી વધારે પક્ષીઓને અલપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લામાં મારી નાંખવામાં આવ્યા છે. કેરળમાં બર્ડ ફ્લૂ સંકટની વચ્ચે રાજ્યોની સીમા સાથે જોડાયેલા કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં 6 કાગડા મૃત મળ્યાં છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે . સુઘાકરે ગુરુવારે જણાવ્યું હતું કે પક્ષીઓના મોતનું કારણ જાણવા માટે તેના નમૂનાને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ગુજરાતમાં એલર્ટ જારી
દેશના અનેક ભાગોમાં બર્ડ ફ્લૂના મામલા સામે આવ્યા બાદ ગુજરાતમાં એલર્ટની વચ્ચે મહેસાણા જિલ્લામાં ગુરુવારે ચાર કાગડાના મોત થયા હતા. આ કાગડા મહેસાણાના મોઢેરા ગામમાં પ્રસિદ્ધ સૂર્ય મંદિરના પરિસરમાં મૃત મળ્યા હતા. મહેસાણાના પશુપાલન અધિકારી ડૉ. ભરત દેસાઈએ જણાવ્યું કે માર્યા ગયેલા કાગડાના નમૂના તપાસ માટે ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા છે. જેનાથી જાણી શકાસે કે તેમના મોત બર્ડ ફ્લૂના કારણે થયા છે કે અન્ય કારણથી.
દિલ્હી હાઈ એલર્ટ પર
દિલ્હીમાં બર્ડ ફ્લૂના કોઈ કેસ સામે નથી આવ્યા પરંતુ દિલ્હીની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. જેના પર નજર રાખવા માટે રેપિડ રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે. આ નમૂનાઓનો સંગ્રહ કરી રહી છે. ત્યારે 100થી વધારે નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે જ્યારે 48 વેટેનરી ડોક્ટરોની ટીમ પક્ષીઓના વ્યવહાર પર નજર રાખી રહી છે.