દેશમાં અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ચૂકી છે. હિમાચલ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કેરળ અને ઉત્તરપ્રદેશ આ 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે ત્યારે દિલ્હી, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં પક્ષીઓના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા છે. સાથે જ દિલ્હી સરકાર પણ એક્શનમાં આવી છે અને અનેક પોલ્ટ્રી ફાર્મ બંધ કર્યા છે.
દેશમાં બર્ડ ફ્લૂનો હાહાકાર
યૂપી સહિત 7 રાજ્યોમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ
કાનપુર પક્ષીઘર કરાયું સીલ
દિલ્હી સરકારે જાહેર કર્યું હાઈએલર્ટ
કોરોનાની લડાઈમાંથી ભારત બહાર આવ્યું નથી કે સાથે હવે પક્ષીઓના મોતથી હાહાકાર વધી રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂની દસ્તકથી લોકોમાં ભય છે. આ સાથે અનેક રાજ્યોથી મોટી સંખ્યામાં પક્ષીઓના મોતની પણ જાણકારી મળી રહી છે. હિમાચલ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કેરળ અને ઉત્તરપ્રદેશ આ 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.તો દિલ્હી, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં પક્ષીઓના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા છે.
કાનપુર પક્ષીઘર કરાયું સીલ
કાનપુર પક્ષીઘરમાં બર્ડ ફ્લૂ વાયરસ મળ્યા બાદ તેને સીલ કરી દેવાયું છે. અહીં 4 પક્ષીઓના મોતની તપાસમાં બર્ડ ફ્લૂ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કાનપુર કમિશ્નરના આદેશ પર આ પક્ષીઘર અને તેની આસપાસના વિસ્તારોને રેડ ઝઓન જાહેર કરાયા છે. પ્રશાસન અને તેની સાથે અન્ય વિસ્તારોમાં પણ એલર્ટ અપાયું છે. બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ પ્રશાસને આ પક્ષીઘરના અન્ય પક્ષીઓને પણ મારી નાંખવાનો આદેશ આપ્યો છે. અહીં અત્યાર સુધીમાં 2 દિવસમાં 10 પક્ષીઓના મોત થયા છે. જેમાંથી 4ના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા અને તેમાં બર્ડ ફ્લૂની જાણકારી મળી છે.
દિલ્હીમાં બર્ડ ફ્લૂનું એલર્ટ
દિલ્હી હજુ કોરોનાની મારથી બહાર આવ્યું નથી ત્યાં અહીં બર્ડ ફ્લૂનો ભય ફેલાયો છે. દિલ્હીમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ નથી પણ રાજધાનીના અલગ અલગ વિસ્તારોમાં મૃત્યુ થતા પક્ષીઓની સંખ્યા ચિંતા વધારી રહી છે. દિલ્હીના એક પાર્કમાં 17 કાગડાના મોત, દ્રારકા ડીડીએ પાર્કમાં 2 કાગડાના મોત, સંજય ઝીલમાં 10 બતકના મોત અને મયૂર વિહાર ફેઝ -3માં એક પાર્કમાં રોજ કાગડાના મોત થઈ રહ્યા છે.
દિલ્હી સરકારે બર્ડ ફ્લૂના ખતરાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે ગાઝીપુર પોલ્ટ્રી ફાર્મને 10 દિવસ માટે બંધ કરાયું છે. સાથે પક્ષીઓની આયાત પર પણ રોક લગાવાઈ છે. પશુઓના ડોક્ટર્સ સતત ખાસ જગ્યાઓની તપાસ કરી રહ્યા છે. મૃત પક્ષીઓની જાણકારી માટે 23890318 હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે.
હિમાચલમાં 3500 પક્ષીઓને મારી દેવાયા
અહીં પોંગ વિસ્તારમાં બર્ડ ફ્લૂની પુષ્ટ્ બાદ હડકંપ છે. અહીં દર વર્ષે પ્રવાસી પક્ષીઓ આવે છે અને બર્ડ ફ્લૂની પુષ્ટિ બાદ એલર્ટ અપાયું છે. આ સિવાય અહીં 3500 પક્ષીઓને મારી દેવાયા છે. કાંગડામાં પણ બર્ડ ફ્લૂ દસ્તક દઈ રહ્યો છે. અહીં 5માંથી 3 કાગડાના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. સાથે આ વિસ્તારથી 8 કિમીના વિસ્તારને સીલ કરાયો છે અને ચિકન અને ઈંડાના વેચાણ પર પણ રોક લગાવાઈ છે.
રાજસ્થાનના 11 જિલ્લા બર્ડ ફ્લૂની લપેટમાં
રાજસ્થાનના 11 જિલ્લામાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે. સવાઈ માઘોપુર, પાલી, દૌસા, જેસલમેર પણ સામેલ છે. સવાઈ માઘોપુરમાં મૃત કાગડામાં બર્ડ ફ્લૂનો એચ5 સ્ટ્રેન મળ્યો છે. જિલ્લામાં 70 પક્ષીઓના મોત થઈ ચૂક્યા છે.