પશ્ચિમ બંગાળમાં બીરભૂમ હિંસાના બે જ દિવસ બાદ વધુ એક TMC નેતાની હત્યા કરી દેવાઇ છે. તો તારકેશ્વરમાં મહિલા કૉર્પોરેટર રૂપા સરકારને કારથી કચડી નાંખવાનો પ્રયાસ કરાયો.
પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે બીરભૂમમાં TMC નેતાની હત્યા બાદ થયેલી હિંસાના બે દિવસ બાદ ફરી નાદિયામાં TMC નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, હુગલીના તારકેશ્વરમાં તૃણમૂલની મહિલા કાઉન્સિલરને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલા કાઉન્સિલર રૂપા સરકારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
CCTV cameras being installed in violence-affected area of Rampurhat, West Bengal where 8 people died after their houses were set ablaze.
Calcutta HC on March 23 had directed the installation of CCTV cameras for 24x7 CCTV surveillance pic.twitter.com/6W2Lxave9o
પશ્ચિમ બંગાળમાં ગયા મહિને મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારથી સતત રાજકીય હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલાં સોમવારે બીરભૂમના રામપુરહાટમાં TMC નેતાની હત્યા કરવામાં આવી હતી. ટીએમસી પંચાયતના નેતા ભાદુ શેખ પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.
TMC નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી
રામપુરહાટમાં TMC નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. અહીં અનેક ઘરોને આગ ચાંપી દેવાઇ હતી. જેમાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતાં. રામપુરહાટમાં હિંસાને લઈને ભાજપ અને ટીએમસી વચ્ચે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે. જો કે, ભાજપે હિંસા માટે ટીએમસીને જવાબદાર ઠેરવી છે. આ સાથે જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, બીરભૂમમાં હિંસાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બને છે.
West Bengal | Superintendent of Police of Birbhum, Nagendra Nath Tripathi inspected the Rampurhat village along with a large contingent of cops ahead of CM Mamata Banerjee's visit
Eight people were burnt to death in violence that erupted in Birbhum district on Tuesday (23.03) pic.twitter.com/NYsOrIm1hW
પીએમ મોદીએ પણ બીરભૂમ હિંસા પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મને આશા છે કે રાજ્ય સરકાર બંગાળની મહાન ભૂમિ પર આવા જઘન્ય પાપ કરનારાઓને ચોક્કસપણે સજા કરશે. પીએમએ કહ્યું કે, હું બંગાળના લોકોને પણ અપીલ કરીશ કે આવી ઘટનાઓને અંજામ આપનારાઓને ક્યારેય માફ ન કરે, જેઓ આવા ગુનેગારોને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વતી હું રાજ્યને આશ્વાસન આપું છું કે ગુનેગારોને વહેલી તકે સજા અપાવવા માટે જે પણ મદદ ઈચ્છે છે તે પૂરી પાડવામાં આવશે.