બીરભૂમ હિંસા પર મમતા બેનર્જીએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, 'આવી ઘટનાઓ વધુ યુપી, ગુજરાત, MP, બિહાર કે રાજસ્થાનમાં ઘટતી હોય છે અને આ બંગાળ છે.'
ગુજરાત અને UPને લઇ મમતા બેનર્જીનું ચોંકાવનારું નિવેદન
આવી હિંસાઓ ગુજરાત કે UP જેવાં રાજ્યોમાં થાય, આ બંગાળ છે: મમતા
અમને અમારા રાજ્યની જનતાની ચિંતા છે : મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાનાં રામપુરહાટમાં સોમવારે થયેલી હિંસામાં આઠ લોકોના મોત થયા હતાં. જેની માટે ગૃહ મંત્રાલયે રિપોર્ટ મંગાવ્યો છે. આ ઘટના સામે આવ્યાં બાદ વિપક્ષે પણ મમતા સરકાર સામે મોરચો ખોલી દીધો છે. કેટલાંકે તેમના રાજીનામાની માંગ કરી તો કેટલાંકે પશ્ચિમ બંગાળમાં કલમ 355 લાગુ કરવા વિનંતી કરી. જ્યારે કેટલાંકે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટેની વિનંતી કરી. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિપક્ષના હુમલાનો જવાબ આપતા કહ્યું કે, 'સરકાર અમારી છે અને અમને અમારા રાજ્યની જનતાની ચિંતા છે.'
મમતાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'અમે ક્યારેય નહીં ઈચ્છીએ કે કોઈ પણ નાગરિકને તકલીફ પડે. બીરભૂમ, રામપુરહાટની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.' વધુમાં એમ કહ્યું કે, 'ઘટનાની જાણકારી મળ્યા બાદ મે તુરંત OC, SDPO ને તત્કાલ બરતરફ કરી દીધાં અને હું ગઇ કાલે જાતે જ રામપુરહાટ જઈશ.' વધુમાં કહ્યું કે, 'હું બીરભૂમ હત્યાકાંડને યોગ્ય નથી ઠેરવી રહી પરંતુ યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં આવી ઘટનાઓ વધુ ઘટતી હોય છે અને આ બંગાળ છે, ઉત્તર પ્રદેશ નથી. ઘટનાનું રાજકીયકરણ કરવા છતાં હિંસામાં સામેલ તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.'
The government is ours, we are concerned about people in our state. We would never want anyone to suffer. The Birbhum, Rampurhat incident is unfortunate. I have immediately dismissed the OC, SDPO. I will go to Rampurhat tomorrow: West Bengal CM Mamata Banerjee on Birbhum incident pic.twitter.com/xZuwsMLAW8
તમને જણાવી દઈએ કે, આ પહેલાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળમાં બંધારણની કલમ 355 લાગુ કરવા વિનંતી કરી હતી. તેઓએ કહ્યું હતું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે. ત્યાંના લોકો ભયમાં જીવે છે અને તેમની સુરક્ષા માટે રાજ્યમાં કલમ 355 લાગુ કરવી જોઈએ.
અમિત શાહે 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો
તો બીજી બાજુ ભાજપના પાંચ સાંસદોની ટીમ આજે ઘટનાસ્થળે પહોંચશે. આ પહેલાં ગઈ કાલે ભાજપની ટીમે રાજ્યપાલ જગદીપ ધનખડથી લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે રાજ્ય સરકાર પાસેથી 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો. વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ટ્વીટ કર્યું કે, પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ઝડપથી પડી ભાંગી છે. પંચાયત ઉપપ્રધાન (ડેપ્યુટી ચીફ) ની હત્યા બાદ બીરભૂમ જિલ્લાના રામપુરહાટ વિસ્તારમાં તણાવ અને ગભરાટ ફેલાઈ ગયો છે. ભાદુ શેઠ ગઈ કાલે સાંજે બોમ્બ હુમલામાં માર્યા ગયા હતાં. ગુસ્સે ભરાયેલા ટોળાંએ બાદમાં તોડફોડ કરી હતી અને અનેક મકાનોને આગ ચાંપી દીધી હતી.