બીરભૂમ હિંસા અને આગચંપી કેસની હવે સીબીઆઈ તપાસ થશે. કલકત્તા હાઈકોર્ટે આ મામલે મહત્વનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે, બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં ટીએમસી નેતાની હત્યા બાદ ભારે હિંસા ફાટી નીકળી હતી. અહીંયા અનેક ઘરોને આગ ચાંપી દેવાઇ હતી. આ આગમાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતાં. જેમાં 3 મહિલાઓ પણ સામેલ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હાઈકોર્ટે ખુદ પહેલાં સીબીઆઈ તપાસની માંગને ફગાવી દીધી હતી
બીરભૂમ હિંસામાં કોલકાતા હાઈકોર્ટે પણ આપોઆપ જ્ઞાનાત્મક પ્રક્રિયા કરીને સુનાવણી કરી હતી. હાઈકોર્ટે ખુદ પહેલાં સીબીઆઈ તપાસની માંગને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, રાજ્યને તપાસની પ્રથમ તક આપવી જોઈએ.
West Bengal | Calcutta High Court orders CBI probe in Rampurhat, Birbhum case. Report to be submitted by April 7.
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવાની માંગ કરાઇ છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ મામલાની તપાસ SIT અથવા CBI દ્વારા કરવામાં આવે. આ અરજી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ દાખલ કરી છે.
ફોરેન્સિક રિપોર્ટે ચોંકાવી દીધા
પશ્ચિમ બંગાળના બીરભૂમ હિંસાના મામલામાં ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મૃતકોને જીવતા સળગાવવામાં આવે તે પહેલાં ખૂબ જ માર મારવામાં આવ્યો હતો.
બીરભૂમ હિંસામાં ચારે બાજુથી ઘેરાયેલી મમતા બેનર્જી સરકારે હવે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રીની સૂચના બાદ ટીએમસીના આરોપી નેતા અનારુલ હુસૈનની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી બાજુ વિસ્તારના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ત્રિદીપ પ્રમાણિકને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
રામપુરહાટમાં હિંસાને લઈને ભાજપ અને ટીએમસી વચ્ચે ભારે ઘર્ષણ ચાલી રહ્યું છે. ટીએમસીનાં સાંસદો ગુરુવારે ગૃહપ્રધાન અમિત શાહને મળ્યાં હતા અને હિંસા અંગેના નિવેદન બદલ રાજ્યપાલ જગદીપ ધનખડને હટાવવાની માંગ કરી હતી.