અંબાલાલ પટેલે કહ્યું કે, ઓમાન તરફ બિપોરજોય વાવાઝોડું ફંટાઈ જવાનું હોવા છતાંય વરસાદની અસર ગુજરાતમાં રહેશે, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે
બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે આ બિપોરજોય વાવાઝોડું ઉત્તર અને પશ્ચિમ દિશાથી ઓમાન તરફ આગળ વધશે. આ તરફ વાવાઝોડું આગળ જતા આજથી 2 દિવસ ભારે હવા ફૂંકાશે. બિપોરજોય વાવાઝોડાથી હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને કોઈ ખતરો નથી. આ તરફ હવે ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે ભારે પવન ફૂંકાશે. જેને લઈ આજથી 2 દિવસ દરિયાકિનારે ન જવા સલાહ આપવામાં આવી છે. આ તરફ 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટો છવાયો વરસાદ રહેશે. બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વલસાડ, ભરૂચ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેશે.
બિપોરજોય વાવાઝોડાને લઈ હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાની શક્યતા છે. તેમણે ઉમેર્યું કે, હજુ ચોક્સ રીતે બિપોરજોય વાવાઝોડું કયા જશે તે અત્યારે ન કહી શકાય. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓમાન તરફ બિપોરજોય વાવાઝોડું ફંટાઈ જવાનું હોવા છતાંય વરસાદની અસર ગુજરાતમાં રહેશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડાને લઈ આગાહી કરતાં કહ્યું કે, વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ શકે છે. જોકે વાવાઝોડું ફંટાઈ જાય તો પણ બિપોરજોય વાવાઝોડાની અસરના ભાગરૂપે આજથી કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી બે દિવસમાં દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થઈ જશે. આ સાથે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ આગાહી કરતાં કહ્યું કે, 18 થી 19 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાના વરસાદનું આગમન થશે. આ સાથે ઉમેર્યું હતું કે, ગુજરાતમા ચોમાસું સારૂ બની રહેશે.
ગુજરાત કોંગ્રેસને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી ચર્ચા વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, ટુંક સમયમાં જ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ અને પ્રભારી મળશે. વિગતો મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ માટે ગુજરાતનો જાણીતો પાટીદાર ચેહરો સૌથી આગળ છે. આ સાથે અન્ય ત્રણ નામો પણ ચર્ચામાં છે. જોકે હવે ટુંક સમયમાં કોંગ્રેસ હાઇકમાન્ડ આ પ્રમુખ અને પ્રભારીના નામનોની જાહેરાત કરી શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું હવે ગમે તે ઘડીએ પત્તું કપાઈ શકે છે. તાજેતરમાં જ કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. જે બાદમાં દિલ્હી દરબારમાં અનેક નેતાઓને બોલાવાયા છે. આ તરફ હવે આ મહિનામાં ગમે તે ઘડીએ કોંગ્રેસના નવા પ્રમુખ અને પ્રભારીની જાહેરાત થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસને જૂન મહિનાના અંત સુધી નવા અધ્યક્ષ અને પ્રભારી મળશે. મહત્વનું છે કે, હાલ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી દરબારમાં છે. વિગતો મુજબ પહેલા પ્રદેશ પ્રભારીની નિમણૂક થશે. જે બાદમાં ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક કરાશે. નોંધનીય છે કે, ગુજરાતના કોંગી નેતાઓની આજે હાઇકમાન્ડ સાથે મહત્વની બેઠક છે. આ બેઠકને લઈ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી હાલ દિલ્હીમાં હાજર છે.
આટકોટમાં કે.ડી પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, આ લોકાર્પણ કાર્યક્રમમાં CM, સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા, જેને લઈ ફરી એકવાર રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મહત્વ જોવા મળ્યું હતું જેને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.નરેશ પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો તેમજ ડૉ.ભરત બોઘરાએ નરેશ પટેલનું સન્માન કર્યું હતું. નરેશ પટેલ અને ડૉ.ભરત બોઘરા એક મંચ પર આવતા ભારે ચર્ચાઓ થઈ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા બંને અગ્રણી એક મંચ પર આવતા ચર્ચાનો વિષય બન્યો છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં આ સમારોહના કાર્યક્રમ પછી અનેક ચર્ચા જાગી છે. અત્રે તમને જણાવી દઈએ કે, PMના હસ્તે ગતવર્ષે અહીં હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે નરેશ પટેલ વિસરાયા હતા અને હોસ્પિટલના આમંત્રણ કાર્ડમાં નરેશ પટેલનું નામ પણ ન હતું જેને લઈ તે સમયે સોશિયલ મીડિયામાં આ મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો હતો. જો કે, આ વર્ષના સમારોહમાં ડો. ભરત બોધરાએ નરેશ પટેલનું સન્માન કર્યું હતું તેમજ નરેશ પટેલ હસ્તે દીપ પ્રાગટય પણ કરાયું હતું.
છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે.સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટ અટેકથી મોત થયા છે, 18 વર્ષ અને 45 વર્ષના બે વ્યક્તિના અચાનક હાર્ટ બેસી ગયા હતા જેમનું નામ કમલેશ અને નફિઝ છે. જે બંન્ને મૃતદેહને પોલીસે PM અર્થે મોકલ્યા છે. જે સમગ્ર ઘટનાથી સોસાયટીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું તેમજ પરિવાર શોકમગ્ન થયું છે.
સુરતમાં યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે તેની પત્નિ, પુત્ર તેમજ પુત્રી સાથે અનાજમાં નાંખવાની દવા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પરિવારનાં ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે આવેલ દાતાર હોટલ નજીક ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ચારેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન પત્નિ, પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે રત્નકલાકાર વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ત્યારે આર્થિક રત્નકલાકારે આર્થિક તંગીથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે. મૂળ ભાવનગરનાં સિહોરનાં વતની અને નોકરી ધંધાર્થે સુરતનાં સરથાણ વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાટરીમાં રહેતા વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા હીરાનાં કારખાનામાં કામ કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે બુધવારે મોડી સાંજ વિનુભાઈ તેમની પત્નિ શારદાબેન, તેમનો પુત્ર ક્રિશ અને પુત્રી સેનિતાએ સામુહિક ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાની જાણ થતા તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોડી રાત્રે શારદાબેન, સેનિતા તેમજ પુત્ર ક્રિશે પણ દમ તોડ્યો હતો. જ્યારે બપોર બાદ વિનુંભાઈનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવની અંગેની જાણ પોલીસને થતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.
એસટી વિભાગમાં સુવિધાની ગાડી બમણી સ્પીડે ચાલી રહી છે. આધુનીક સુવિધા બસથી લઇને ઇલેક્ટ્રીક બસો હવે એસટી વિભાગ પાસે છે. તો હવે એસટી વિભાગમાં વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ઇ-પાસની સેવાનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે આજના ડિજીટલ યુગમાં એસટી વિભાગનો પ્રવેશ થઇ ચૂક્યો છે. વર્ષોથી વિદ્યાર્થીઓને જે બસ સ્ટેશનના ધક્કા ખાવા પડતાં હતા તેમાં મદદ મળશે અને ઘરબેઠા તેઓ એસટીના ઇ પાસ કઢાવી શકશે.વેકેશન પૂર્ણ થતાં જ હવે તમામ શાળા-કોલેજો ખુલી ગઇ છે. ગ્રામીણ વિસ્તારોમાંથી અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ હવે દરરોજ સ્કૂલે આવી રહ્યાં છે. ત્યારે આ વિદ્યાર્થીઓને અગવળતા ન પડે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રેગ્યુલર મુસાફરી માટે જે પાસ ઓફલાઇન કાઢવામાં આવતાં હતા તેની સંપૂર્ણ પ્રક્રિયા હવે ઓનલાઇન કરવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થી ઘરબેઠા બસનો ઇ-પાસ કાઢી શકે છે. એટલે કે બસ સ્ટેશનમાં પાસ કઢાવવા માટે વિદ્યાર્થીએ લાઇનમાં ઉભા નહીં રહેવું પડે તે પોતાના કોમ્પ્યુટરમાંથી જ ઇ પાસ કાઢી શકશે.
અમદાવાદ મહાનગરપાલિકાનો કડક વલણ સામે આવ્યો છે, કર્પોરેશન બે કોન્ટ્રોક્ટરને બ્લેકલિસ્ટ કર્યા જેમાં જ્યોતિ ઈન્ફ્રાટેક અને વંદેમાતરમ પ્રોજેક્ટ્સ લિમિટેડને બ્લેકલિસ્ટ કર્યા છે તેવી વિગતો સામે આવી છે. જ્યોતિ ઇન્ફ્રાટેક અને વંદેમાતરમ પ્રોજેક્ટ્સ લિમિટેડને AMCના 500 કરોડથી વધુના કામો લટકાવવા બદલ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. હાઉસિંગ પ્રોજેક્ટના કામોમાં બંને કોન્ટ્રાકટર દ્વારા વિલંબ કરાયો હતો. જે મામલે અગાઉ મળેલી કોર્પોરેશનની બેઠકમાં બંન્ને વિરૂદ્ધ કાર્યવાહી કરવા દરખાસ્ત મુકાઈ હતી જે બાદ આજે તે બંન્ને કંપનીને બ્લેકલિસ્ટ કરાઈ છે. જ્યોતિ ઇન્ફ્રાટેકને 6370 મકાનો બનાવવા કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. વંદેમાતરમ દ્વારા 593 મકાનો બાંધવાના હતા. બંને કોન્ટ્રાકટરને 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામી આવી છે તેમજ અધુરું કામ પૂર્ણ કરવાનો ખર્ચ પણ આ કંપનીઓ પાસેથી લેવામાં આવશે.
શ્રદ્ધા વોલ્કર હત્યાકાંડ બાદ એક નવા લિવ ઈન મર્ડર કેસથી ખળભળાટ મચી ગયો છે. આ વખતે સરસ્વતી નામની 32 વર્ષીય યુવતી મનોજ નામના નરપિચાશનો શિકાર બની છે. બંને 3 વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. સરસ્વતીની પાછળ કોઈ નહોતું. તે કોઈની કાયમી હૂંફ ઈચ્છતી હતી એટલે તેણે હમસફર તરીકે મનોજ સાનેને પસંદ કર્યો પરંતુ તેને શું ખબર કે આ નરપિચાશ તેને ટુકડાનું મોત આપી દેશે. સરસ્વતી અને મનોજ વચ્ચેના સંબંધોની શરૂઆત રેશનની દુકાનથી થઈ હતી. આ પછી તેમનો સંબંધ વધતો ગયો અને પછી બે વર્ષમાં જ બંને સાથે રહેવા લાગ્યા. આ લિવ-ઈન સ્ટોરીની શરૂઆત જેટલી રોમેન્ટિક હતી, તેટલું જ પરિણામ પણ એટલું જ ડરામણું હતું. સરસ્વતીનો હત્યારો આરોપી મનોજ તો ઝડપાઈ ગયો છે, પરંતુ આ ઘટનાએ મોટા શહેરોમાં લિવ ઈન રિલેશનશીપનું લોહીયાળ સત્ય ફરી એકવાર બહાર લાવ્યું છે.મીરા રોડ પર લિવ ઇન પાર્ટનર સરસ્વતીની થયેલી ઘાતકી હત્યા કેસમાં એક નવો ખુલાસો થયો છે. સરસ્વતી વૈદ્ય એક અનાથ યુવતી હતી. બંનેની મુલાકાત 2014માં બોરીવલીની એક રેશનિંગની દુકાનમાં થઈ હોવાનું સામે આવ્યું હતું. મનોજ સાને રાશનની દુકાનમાં કામ કરતો હતો. અહીં જ બંનેની પહેલી મુલાકાત થઈ હતી. બેઠકોનો સિલસિલો આગળ વધતો ગયો. બે વર્ષ વીતી જતાં બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યાં. આ પછી, તેઓ લિવ-ઇનમાં સાથે રહેવા લાગ્યા. મનોજ સાને અને સરસ્વતી વૈદ્ય છેલ્લા સાત વર્ષથી મીરા રોડની આકાશદીપ સોસાયટીમાં રહેતા હતા.
This is a horrific incident. The accused had chopped the body into pieces on June 4. Police holding investigations are at the ration shop where the accused worked and also at an orphanage with which the deceased woman was connected. We want to organise camps for women to teach… pic.twitter.com/h5H9c54don
નવા સંસદ ભવનમાં લાગેલા 'અખંડ ભારત'નાં નકશાને જોઈને પાડોશી દેશો સવાલ ઉઠાવી રહ્યાં છે. પાકિસ્તાન, ભૂટાન, નેપાળ અને બાંગ્લાદેશે ભારત પાસે આ અંગે સ્પષ્ટીકરણ માંગ્યું હતું જે બાદ આજે વિદેશમંત્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ભારતીય સંસદમાં લગાવવામાં આવેલા અખંડ ભારતનો ફોટો અશોક સામ્રાજ્યની સીમાને દર્શાવે છે. પાકિસ્તાન આ વાતને નહીં સમજી શકે કારણ કે તેની પાસે સમજવાની શક્તિ જ નથી.ગુરુવારે એક પ્રેસ કોન્ફેરેન્સમાં જયશંકરને પૂછવામાં આવ્યું કે સંસદ ભવનમાં લાગેલા નક્શા પર નેપાળ, ભૂટાન અને પાકિસ્તાને સવાલો ઉઠાવ્યાં છે. ત્યારે તેમણે કહ્યું કે' સંસદની દિવાલ અશોક સામ્રાજ્યની સીમા દર્શાવે છે. અમે તેમને જણાવી દીધું છે અને તે સમજી ગયાં છે. પાકિસ્તાનને છોડી દો, તેની પાસે સમજવાની શક્તિ જ નથી.' આ સિવાય જયશંકરે કહ્યું કે' PoKનાં મામલામાં અમે સ્પષ્ટ છીએ. દેશ, સંસદ અને અમારો દ્રષ્ટિકોણ બદલવાનો નથી.'
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચલાવતી કંપની METAએ હાલ એક મોટી જાહેરાત કરી છે. મેટાએ આખરે ભારત માટે પણ વેરિફિકેશન સર્વિસ શરૂ કરી છે. એ વાત તો નોંધનીય છે કે મેટાનું બ્લુ સબસ્ક્રિપ્શન કેનેડા જેવા દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ભારતની સાથે અન્ય ઘણા દેશોમાં પણ મેટા વેરિફાઈડ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે મેટા વેરિફાઈડ હેઠળ લોકોને બ્લુ ટિક મળશે અને આ સિવાય ઘણા પ્રકારના એક્સક્લુઝિવ ફીચર્સ પણ મળશે. મેટા વેરિફિકેશન હેઠળ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પૈસા ચૂકવીને પણ વેરિફાઈ કરી શકાય છે. ભારતમાં, iOS અને Android એપનો દર મહિને રૂ. 699નો ખર્ચ થશે, જ્યારે વેબનો દર મહિને રૂ. 599 થશે. પેમેન્ટ કરીને વેરિફિકેશન કરાવનારા યુઝર્સને બ્લુ ટિક મળશે. આ માટે સરકારી આઈડી કાર્ડ આપવું પડશે. નોંધનીય છે કે Meta એ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેની પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ 'Meta Verified' લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ તે સમયે આ સેવા ફક્ત યુએસમાં જ ઉપલબ્ધ કરાવી હતી. આ પછી તેને યુકેમાં 16 માર્ચે અને કેનેડામાં 31 માર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હવે નવીનતમ અપડેટમાં જાણવા મળ્યું છે કે આ સુવિધા ભારતીય યુઝર્સ માટે પણ શરૂ કરવામાં આવી છે. પેઇડ વેરિફાઇડ એકાઉન્ટને કંપની તરફથી ઘણી વિશેષ સુવિધાઓનો લાભ આપવામાં આવશે.