એમ્બ્યુલન્સને અકસ્માત જાનમાલને નુકશાનને કોઈ ખબર નહીં
પાર્થિવ શરીરોને સુલુર એરબેઝથી આજે સાંજે દિલ્હી માટે એરલિફ્ટ કરાશે.
કુન્નુર ક્રેશના આઘાતમાંથી દેશને હજુ કળ વળી નથી ત્યાં વળી પાછા બીજા માઠા સમાચાર આવ્યાં છે. ભગવાન પણ જાણે કસોટી કરવા બેઠો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશે એક મહાન સપૂત સહિત 12 યોદ્ધા ગુમાવ્યાં અને હવે તેમના તેમના પાર્થિવ દેહને લઈ જઈ રહેલા વાહનને અકસ્માત નડ્યો છે. કુન્નુર ક્રેશના શહીદોના પાર્થિવ શરીર લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે. રેજિમેન્ટલ સેન્ટરથી શહીદોના પાર્થિવ શરીરને સુલુર એરબેઝ લઈ જવાઈ રહ્યાં હતા ત્યારે કાફલામાં સામેલ એક એમ્બ્યુલન્સના ચાલાકે કાબુ ગુમાવ્યો હતો અને તે પહાડી સાથે ટકરાઈ હતી.
Tamil Nadu | Vehicles carrying mortal remains of CDS Bipin Rawat, his wife and other personnel who died in the Coonoor chopper crash, leave for Sulur airbase from Madras Regimental Centre in Nilgiris district
એમ્બ્યુલન્સ અકસ્માતમાં કોઈને ઈજા નહીં
પ્રાથમિક જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં જાનમાલને નુકશાનની કોઈ ખબર નથી. મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સૂલુર એરબેઝના રસ્તા મેટ્ટુપલયમની પાસે એમ્બ્યુલન્સ અકસ્માત નડ્યો હતો. શહીદોના પાર્થિવ શરીરોને સૂલુર એરબેઝથી આજે સાંજના દિલ્હી માટે એરલિફ્ટ કરવામાં આવશે.
મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં અપાઈ શ્રદ્ધાંજલિ
તમિલનાડુના કુન્નુરમાં બુધવારે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મુધુલિયા રાવત અને 11 લશ્કરી કર્મીઓ તથા અધિકારીઓ શહીદ થયા હતા. ઘટના બાદ મૃતકોના શબ વેલિંગ્ટન મિલિટરી હોસ્પિટલ લઈ જવાયા હતા. ગુરુવારે સવારે આ મૃતદેહોને પૂરા લશ્કરી સન્માન સાથે મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર લવાયા હતા. રેજિમેન્ટલ સેન્યરમાં શ્રદ્ધાંજલિ સભા બાદ આ પાર્થિવ શરીરોને દિલ્હી મોકલાઈ રહ્યાં છે.