બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Biparjoy will turn into depression tomorrow at 12 pm- IMD
Hiralal
Last Updated: 10:09 PM, 15 June 2023
ADVERTISEMENT
બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ ગયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં તેની અસર થઈ છે. ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળ્યાં બાદ બિપરજોય શું કરશે તેને લઈને હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે.
"The IMD has predicted that it (Cyclone Biparjoy) will turn into a depression by 12 pm tomorrow (June 16), and its speed will decrease to less than 40 km/hour. There is a possibility of minimal damage," says NDRF IG Narendra Singh Bundela. pic.twitter.com/fTCAmCN85m
— Press Trust of India (@PTI_News) June 15, 2023
ADVERTISEMENT
કાલે બપોરના 12 પછી બિપરજોય પડશે નબળું
હવામાન વિભાગની આગાહી રાહત આપે તેવી છે. હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલે 12 વાગ્યા પછી બિપરજોય નબળું પડી જશે. NDRFના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાએ કહ્યું કે ભારતીય હવામાન વિભાગની આગાહી છે, બિપરજોય આવતીકાલે બપોરે 12 વાગ્યે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને તેની સ્પીડ ઘટીને કલાકના 40 કિમીની થઈ જશે અને તેનાથી નુકશાન પણ ઓછું થશે.
બિપરજોય વાવાઝોડું આખરે ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું
છેલ્લા કેટલાક દિવસથી અરબી સમુદ્રમાં ચકરાવો લઈ રહેલું અતિ ગંભીર કક્ષાનું બિપરજોય વાવાઝોડું આખરે ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું છે. જોકે બિપરજોયની આંખ હજુ ટકારાવાની બાકી છે. ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજિન લાલે કહ્યું કે હજુ વાવાઝોડાની સેન્ટર આઈ ટકરાવાની બાકી છે, એટલે આગામી કેટલાક કલાક મહત્વના છે. આઈનો ડાયામિટર લગભગ 50 કિમીનો છે.
#WATCH | Gandhinagar, Gujarat:..."Currently, the wind speed is between 115 to 125 per km hour, it can also go up to 140 km per hour. By midnight, wind speed might decrease": Manorama Mohanty, MET Director on #CycloneBiporjoy pic.twitter.com/54c79WItUS
— ANI (@ANI) June 15, 2023
બિપરજોયની આંખ હજુ ટકારાતા શું થશે
બિપરજોયનો વચ્ચેનો ભાગ ટકરાતા દરિયા કિનારાના વિસ્તારોમાં ભયંકર તારાજી જોવા મળશે. 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સાથે ભારે વરસાદ પડશે.
VIDEO | "By 11 pm, its (cyclone's) centre will be over the land. The landfall process will continue till midnight, after which it will start weakening," says IMD DG Mrutyunjay Mohapatra. #CycloneBiparjoy pic.twitter.com/XyDKAScxjr
— Press Trust of India (@PTI_News) June 15, 2023
લેન્ડફોલ ચાલુ છે, પાંચ કલાક નિર્ણાયક
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાને લેન્ડફોલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કચ્છના માંડવીથી જખૌ બંદર સુધીના વિસ્તારમાં દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, મોરબી, અને કચ્છમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. મોટી સંખ્યામાં પડી ગયેલા વૃક્ષોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ કલાક ખૂબ મહત્વના છે. લેન્ડફોલની પ્રક્રિયા મોડી રાત સુધીમાં પૂર્ણ થઈ જશે. દરિયા કિનારાના વિસ્તારોમાં ઘરો અને ગામોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. નિષ્ણાતો કહે છે કે ચક્રવાતની રૂપરેખા હમણાં જ સમુદ્ર કાંઠે ટકરાઈ છે.
રાતના 12 વાગ્યા પછી રાજસ્થાન તરફ ફંટાઈ જશે
આખેાખું ટકરાયા બાદ બિપરજોય પાકિસ્તાન કે રાજસ્થાન ભણી ફંટાઈ જશે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વાવાઝોડાની અસર નહીંવત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.