બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક એટલે એક એવા પ્રકારનું સિન્થેટીક પ્લાસ્ટિક જે હવે કાગળની માફક નાશ પામશે અને પર્યાવરણને પણ નુકસાન નહીં કરે.
સિન્થેટિક બની હવે બાયોડિગ્રેડબલ અપનાવો
CIFTના વૈજ્ઞાનિકોનું સૌથી મોટું સંશોધન
કાગળની માફક રાખ થઈ શકે છે પ્લાસ્ટિક
જમીનની અંદર પડ્યા-પડ્યા નાશ થઈ જશે
બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક એટલે એક એવા પ્રકારનું સિન્થેટીક પ્લાસ્ટિક જે હવે કાગળની માફક નાશ પામશે અને પર્યાવરણને પણ નુકસાન નહીં કરે. ગીર સોમનાથના વેરાવળ ખાતે આવેલ ભારત સરકારના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિશરીઝ ટેકનોલોજી સંસ્થાનના વિજ્ઞાનીઓએ આ બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક તૈયાર કર્યું છે. જે મજબૂતીમાં સામાન્ય પ્લાસ્ટિક જેટલું જ છે પણ પર્યાવરણમાં તેનો ટુક સમયમાં જ નાશ થાય છે.
ઔદ્યોગિક ક્રાંતિની દીશામાં સફળ શોધ
આપણે જાણીએ જ છીએ કે, પ્લાસ્ટિક એ વિશ્વનું સૌથી વધુ ભૂમિ પ્રદુષણ કરતું પરિબળ બનીને સામે આવ્યું છે, સરકારોએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યાં છે, ઘણા વૈજ્ઞાનિકો પ્લાસ્ટિકના વિકલ્પ શોધી રહ્યા. ત્યારે ભારત સરકારની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી એટલે કે, CIFTએ વેરાવળ લેબોરેટરીમાં સી-વિડમાંથી બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક પ્લાસ્ટિક તૈયાર કરાયું છે. આ પ્લાસ્ટિક હાલમાં ઉપયોગમાં લેવાતા સિન્થેટિક પ્લાસ્ટિકથી અનેક ગણું પ્રદૂષણમુક્ત છે. તેની ભૌતિક લાક્ષણિકતા તેને ટુક સમયમાં પ્રકૃતિમાં ભળી જવા માટે મદદરૂપ છે. ત્યારે પ્લાસ્ટિ કચરાને કારણે જામ થતી ગટરો અને પ્લાસ્ટિક ખાઈને મૃત્યુ પામતા પશુઓ માટે આ પ્લાસ્ટિક રામબાણ ઉપાય કહી શકાય છે.
ભૂમિ પ્રદુષણ અટકાવવામાં ઉત્તમ શોધ
બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક પ્રકૃતિ માટે એક વરસાદ રુપ માનવામાં આવી રહ્યું છે અને તેના થકી એક ઔદ્યોગીક ક્રાંતિ સ્થાપિત કરી શકાય છે. ત્યારે આ પ્લાસ્ટિકની વિશેષતા અંગે વાત કરવામાં આવે તો CIFT દ્વારા તૈયાર કરવામાં આવેલ આ બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિકની મજબૂતી અને ક્ષમતા સિન્થેટિક પ્લાસ્ટિક જેટલી જ છે. સાથે આ પ્લાસ્ટિકમાં રોગપ્રતિકારક મેડિકલ દ્રવ્ય પણ સરળતાથી ઉમેરી શકાય છે. જેના કારણે ફૂડ પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્લાસ્ટિક આગામી સમયમાં ક્રાંતિકારી સાબિત થઈ શકે છે.. આ બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક કાગળની માફક નાશ પામે છે અને તેનાથી જમીનને પણ કોઈ નુકસાન નથી પહોંચતું.. પ્રાણીઓ પણ ભૂલથી આ બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક ગળી જાય તો તેમને પણ કોઈ નુકસાન નથી થતું.
પ્રદૂષણને અટકાવવામાં ક્રાંતિ સર્જશે બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક
આ પ્લાસ્ટિક પ્રકૃતિના જનત સાથે ઔદ્યોગીક ક્રાંતિની દીશામાં એક ઉત્તમ શોધ માનવામાં આવી રહી છે.. ત્યારે ચેન્નઈની ICT કંપની અને રાજ્યની બીજી ઔદ્યોગિક કંપનીઓ દ્વારા આ પ્લાસ્ટિ માટે CIFTનો સંપર્ક કરવામાં આવ્યો છે. અને જરૂરિયાત પ્રમાણે પ્લાસ્ટિકના ઉત્પાદન માટે પણ ચર્ચાઓ ચાલી રહી છે.. ત્યારે આશા રાખીએ કે, વૈજ્ઞાનિકોની આ શોધ સૌથી મોટી ક્રાંતિ બને અને પ્રદૂષણ મુક્ત ભારતની દીશામાં એક સૌથી મોટી સફળ મળે.