કોરોનાની સારવાર માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા DCGIએ Bioconની દવા Itolizumab Injectionને ભારતમાં પણ પરમિશન આપી છે. તેમના જણાવ્યા અનુસાર આ ઈન્જેક્શનનો ઉપયોગ કોરોનાના ગંભીર દર્દીઓ માટે કરી શકાશે. આ ઈન્જેક્શન અનેક વર્ષોથી સિરોસિસના દર્દીની સારવારમાં વપરાય છે. આ દવા ક્યૂબામાં કોરોનાનો ડેથ રેટ ઘટાડવામાં સફળ રહી છે. આ માટે ટોલીજુમૈબ બનાવનારી કંપનીએ કહ્યું કે આ દવાની કિંમત પણ ઘણી સામાન્ય રાખવામાં આવી છે.
ક્યૂબાની દવાને ભારતમાં મળી પરવાનગી
કોરોનાના ગંભીર દર્દીની સારવાર પણ બનશે સરળ
દવાની કિંમત અફોર્ડેબલ નક્કી કરાઈ
કોરોના એક અસાધારણ સ્થિતિ છે
કોરોના જેવી અસાધારણ સ્થિતિમાં જીવન બચાવવા માટે યોગ્ય સારવારની જરૂર છે. આવનારા કેટલાક દિવસોમાં 10 લાખને પાર આંકડો પહોંચશે ત્યારે આ ઈન્જેક્શનના રેટ પર પણ પ્રશ્નો આવશે. એવામાં ટોલીજુમૈબ દવા મહત્વની સાબિત થઈ શકે છે. અત્યારે મોટાપાયે તેના ટ્રાયલ કરાયા નથી. આ દવાના ઉપયોગની છૂટ મોડરેટથી લઈને ગંભીર દર્દીઓ માટે આપવામાં આવી છે.
દવાની કિંમત અફોર્ડેબલ નક્કી કરાઈ છે
ટોલીજુમૈબની કિંમત દવાની ઉપયોગિતાના આધારે નક્કી કરાઈ છે. જિંદગી બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે જો કોઈ દર્દીને આઈસીયૂમાં રાખો તો તેનો ખર્ચ ઘણો વધી શકે છે. સરકાર માની રહી છે કે આ દવા લોકો માટે સરળતાથી મળી રહેનારી હશે.
કયૂબામાં ઓછો થયો છે ડેથ રેટ
ક્યૂબામાં આ દવાના ઉપયોગથી ડેથ રેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેનો ઉપયોગ મોડરેટથી ગંભીર દર્દીઓ પર કરી શકાય છે. આ કારણે હવે આ દવાને ભારતમાં પણ ઉપયોગમાં લેવાની પરમિશન મળી છે. આ સાથે ભારતમાં ડેથ રેટ ઓછો કરવા માટે આ દવાનો ઉપયોગ કરાશે.