ઉદ્યોગપતિ રાહુલ બજાજ બાદ હવે બાયોકોનની એમડી કિરણ મજુમદાર શોએ પણ મોદી સરકાર સામે નિશાન તાકયું છે. કિરણ મજુમદાર શોએ જણાવ્યું છે કે સરકાર અર્થતંત્રને લઇને કોઇ ટીકા કે આલોચના સાંભળવા માગતી નથી.
બાયોકોનની એમડી કિરણ મજુમદાર શોએ પણ મોદી સરકાર સામે નિશાન તાકયું
કિરણ મજુમદાર શોએ કહ્યું, સરકાર અર્થતંત્રને લઇને કોઇ આલોચના સાંભળવા જ માગતી નથી
ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું હતું, દેશમાં અત્યારે ભયનો માહોલ છે
કિરણ મજુમદાર શોએ એવી આશા વ્યકત કરી છે કે સરકાર વપરાશ અને ગ્રોથને ફરીથી પાટા પર ચડાવવા માટે ભારતીય ઉદ્યોગ જગતનો સંપર્ક કરશે. તેમણે એવું પણ જણાવ્યું છે કે અત્યાર સુધી તો સરકારે અમારા બધા સુધી અંતર રાખ્યું છે અને સરકાર અર્થતંત્રને લઇને કોઇ આલોચના સાંભળવા જ માગતી નથી.
આ અગાઉ મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે જણાવ્યું હતું કે દેશમાં અત્યારે ભયનો માહોલ છે અને લોકો સરકારની ટીકા કરતાં ડરે છે. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં સરકાર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.
રાહુલ બજાજના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને ટ્વિટ કરીને જણાવ્યું છે કે રાહુલ બજાજે જે મુદ્દા ઉઠાવ્યા છે જેનો જવાબ ગૃહ પ્રધાન અમિત શાહે આપી દીધો છે. પ્રશ્નો હોય, ટીકા હોય તો બધાને સાંભળવામાં આવે છે.