ગ્લોબલ ક્રિપ્ટો એક્સચેન્જ Binance સોમવારે જણાવ્યું હતું કે તે ભારત સ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ WazirX 'ઓફ-ચેઇન' સિસ્ટમની બહાર ફંડ ટ્રાન્સફર બંધ કરી રહ્યું છે.
Binance અને WazirX વચ્ચે વિવાદ
Binance એ WazirX સાથે ઓફ ચેઈન ટ્રાન્સફર બંધ કર્યું
ED એ WazirX ની પેરેન્ટ્સ કંપનીમાં દરોડા પડ્યા હતા
ગ્લોબલ ક્રિપ્ટો એક્સચેન્જ Binance સોમવારે જણાવ્યું હતું કે તે ભારત સ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ WazirX 'ઓફ-ચેઇન' સિસ્ટમની બહાર ફંડ ટ્રાન્સફર બંધ કરી રહ્યું છે. WazirX કેટલાક અજાણ્યા વોલેટમાં 2,790 કરોડ રૂપિયાની ક્રિપ્ટો એસેટ્સ મોકલવાના આરોપમાં તપાસના દાયરામાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે કહ્યું હતું કે તેણે વજીરેક્સની 64.67 કરોડ રૂપિયાની બેંક થાપણો ફ્રીઝ કરી દીધી છે. ઇડીએ ચીન દ્વારા સમર્થિત કેટલીક સ્માર્ટફોન આધારિત ધિરાણ એપ્લિકેશન્સ સામે મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં આ પ્રતિબંધ લગાવ્યા છે.
Binance ના મુખ્ય સંચાર અધિકારીએ કહ્યું "વસ્તુઓને સ્પષ્ટ કરવા અને વપરાશકર્તાની સલામતી માટે, અમે WazirX અને Binance વચ્ચેની ઓફ-ચેઇન ફંડ ટ્રાન્સફર ચેનલને દૂર કરી રહ્યા છીએ. 11 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે લગભગ 8.30 વાગ્યાથી, Binance "Login with Binance" ના વિકલ્પ સાથે WazirX અને Binance વચ્ચે ઓફ-ચેઇન ફંડ ટ્રાન્સફરને ટેકો આપવાનું બંધ કરશે. જો કે, વપરાશકર્તાઓ હજી પણ Binance અને WazirX પ્લેટફોર્મ વચ્ચે અસ્તિત્વમાં છે તે ઉપાડ અને ડીપોઝીટની માનક પ્રક્રિયા હેઠળ પોતાનું બેલેન્સ જમા કરી શકશે અને ઉપાડી શકશે.
Binance અને WazirX વચ્ચેની લડાઈ શું છે?
આ બે મોટા ક્રિપ્ટો એક્સચેંજ વચ્ચેની વાસ્તવિક લડાઇ માલિકી ઉપર છે. અને મુદ્દો 'માલિક અમે' નો નથી પણ 'માલિક તમે' નો છે. હકીકતમાં, બંને કંપનીઓ એ હકીકત પર લડી રહી છે કે WazirX 'અમારું નથી, તે તમારું છે'. ચાલો આ બાબતને કેટલાક મુદ્દાઓમાં સમજીએ-
- નવેમ્બર 2019 માં, Binance એક બ્લોગપોસ્ટમાં જાહેરાત કરી હતી કે તેણે WazirXને તેણે "હસ્તગત" કર્યું છે. ત્યારે Binance ના સીઈઓ ચાંગપેંગ ઝાઓ અને WazirXના સંસ્થાપક નિશ્ચલ શેટ્ટી સાથે જોવા મળ્યા હતા. આ બ્લોગપોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્લેટફોર્મ યુઝર્સને Binance ના ટ્રેડિંગ પ્લેટફોર્મ પરથી સીધી મોટી સંખ્યામાં ક્રિપ્ટોકરન્સીની એક્સેસ મળશે, તેઓ ભારતીય રૂપિયાથી ક્રિપ્ટોકરન્સી ખરીદી શકશે, ટેથર જેવા સ્થિર કોઈનમાં રોકાણ કરી શકશે. તેણે એમ પણ કહ્યું હતું કે WazirXનું સંપાદન તેની વૈશ્વિક હાજરી વધારવાની કંપનીની વ્યૂહરચનાનો એક ભાગ છે.
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગના કેસમાં 3 ઓગસ્ટના રોજ WazirXની પેરેન્ટ કંપની ઝાંમાઇ લેબ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર સમીર મ્હાત્રે પર દરોડા પાડ્યા હતા. કંપનીની ફાઇનાન્શિયલ એસેટ્સ પણ ફ્રીઝ કરી દેવામાં આવી છે. એજન્સીએ કહ્યું હતું કે મ્હત્રે માંગ પર સામેથી આવી રહ્યા નથી અને કોઈ પણ માહિતી શેર કરી રહ્યા નથી અને "તપાસમાં સહકાર આપી રહ્યા નથી".
- એજન્સીએ જણાવ્યું હતું કે એવું જાણવા મળ્યું છે કે મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા મનસ્વી ધિરાણમાં સામેલ ઘણી ફિનટેક કંપનીઓએ મોટાભાગનું ભંડોળ WazirX તરફ વાળ્યું હતું, ત્યારબાદ ત્યાંથી ભંડોળને અજાણ્યા વિદેશી વોલેટ્સ તરફ મોકલવામાં આવ્યું હતું.
- આ પછી, Binance શું કર્યું, ત્યાંથી લડત શરૂ થઈ. WazirX કાનૂની ગુંચવણમાં ફસાયા બાદ, Binanceના સીઈઓ ચાંગપેંગ ઝાઓએ 5 ઓગસ્ટ, 2022 ના રોજ શ્રેણીબદ્ધ ટ્વીટ્સ પોસ્ટ કર્યા હતા.
- તેમણે સ્પષ્ટતા કરી હતી કે Binance ઝાંમાઇ લેબ્સમાં કોઈ હિસ્સો ધરાવતો નથી અને ફક્ત WazirXને વોલેટ સેવાઓ પ્રદાન કરે છે.
- Binance કહ્યું કે, ધ્યાન પર આવ્યું છે કે કેટલાક યૂઝર્સને વિશ્વાસ થઇ ગયો છે કે, Binance એ WazirXમાં જમા ફંડ મેનેજ કરે છે, પરંતુ એવું નથી. "હવેથી, Binance વજીરએક્સ સાથે સંબંધિત બાબતોમાં ભારતીય નિયમનકારી સંસ્થાઓને સહકાર આપશે. Binance ઉદ્યોગ માટે નિયમિત માળખું ઊભું કરવા માગે છે અને નિયમનકારો, નીતિ-ઘડવૈયાઓ અને કાનૂની એજન્સીઓ સાથે ખુલ્લી વાતચીત કરવામાં માને છે."
- હવે આ ટ્વીટ્સ બાદ ઝાઓ અને શેટ્ટી સતત ટ્વિટર પર વ્યસ્ત છે. શેટ્ટીએ કહ્યું છે કે Binance વઝીરએક્સનો માલિક છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઝાંમાઇ લેબ્સ એક સંપૂર્ણપણે અલગ એન્ટિટી છે, જ્યારે Binance ને વઝીરએક્સના ડોમેન નામ પર અધિકાર છે, તે AWS સર્વર્સની એક્સેસ ધરાવે છે અને પ્લેટફોર્મ પર સંગ્રહિત તમામ નફા અને ક્રિપ્ટો એસેટ્સ જાળવી રાખે છે.
- શેટ્ટીએ જણાવ્યું હતું કે ઝાંમાઇ લેબ્સ પાસે Binanceથી માત્ર INR-ક્રિપ્ટો જોડીઓ ચલાવવાનું લાઇસન્સ છે, જ્યારે Binance ક્રિપ્ટો-ટુ-ક્રિપ્ટો જોડીઓ અને ઉપાડનું સંચાલન કરે છે.
- હવે આ વિવાદનો હાલ અંત આવે તેમ લાગતું નથી, પરંતુ ઈડીની તપાસ ચાલી રહી છે. જો કે ભારતીય રોકાણકારો આ વિવાદ વચ્ચે ચોક્કસપણે અટવાયા છે.
- જો વજીરેક્સનું ફંડ સ્થિર રહેશે તો તેના માટે ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની જશે. સાથે જ ટ્રાન્ઝેક્શનને સપોર્ટ નહીં મળે. એ ઉપરાંત પ્લેટફોર્મ પર રોકાણકારોની ડિપોઝિટ સલામત છે કે નહીં એ પણ દ્વિધા છે, કારણ કે તાજેતરના
ભૂતકાળમાં ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીની ઘણી કંપનીઓએ પોતાને નાદાર જાહેર કર્યા છે. કંપનીએ રોકાણકારોના પૈસા સુરક્ષિત હોવાની ખાતરી આપી છે, પરંતુ રોકાણકારોમાં ડર છે.