રાજકોટઃ આજે રાજકોટમાં નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં મહિલા મેયર બનાવવામાં આવ્યા છે. રાજકોટના નવા મેયર તરીકે બીનાબેન આચાર્યની વરણી કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે અશ્વિન મોલિયાની વરણી કરવામાં આવી છે.
જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ઉદય કાનગડની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા પદે દલસુખભાઇની વરણી કરવામાં આવી છે. RMCના દંડક તરીકે અજય પરમારની પસંદગી કરવામાં આવી છે.
અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. નવા મેયરના નામની જાહેરાત ભાજપના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી. આગામી લોકસભાની ચૂંટણીના ધ્યાનમાં રાખીને નવા મેયર પસંદ કરવામાં આવ્યા છે. રાજકોટમાં જ્ઞાતિના સમિકરણોના આધારે મેયરનુ પદ નક્કી કરવામા આવ્યું છે.