બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ મામલે પરીક્ષાર્થીઓએ તપાસ સાથે સાથે પાંચ માંગણીઓ સરકાર સામે મૂકી છે સરકાર તેમની માંગણીઓ પૂરી કરશે તો જ ગાંધીનગર ખાતે ધરણા સમેટવામાં આવશે. જો સરકરા દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવે તો પરીરક્ષાર્થીઓએ આંદોલનને ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર બનાવવાનો સરકારને લલકાર ફેક્યો છે ત્યારે એમ થાય કે એ પાંચ માંગો કઈ છે. તો આવો જાણીએ ઉમેદવારોની માંગ વિશે.
બિન સચિવાલય મામલે ગાંધનગરમાં જે ધડબડાટી બોલી રહી છે તેમાં ઉમેદવારોએ સરકાર સામે પાંચ માંગણીઓ રજૂ કરી છે જો સરકાર તેમની આ પાંચ માંગણીઓ પૂરી કરી દેશે તો તેઓ આંદોલન અટકાવી ન્યાયની રાહ જોશે પણ જો તેમની માંગો પૂરી નહી થાય તો વિદ્યાર્થીઓ હજુ પણ ઉગ્ર આંદોલન કરીને ગાંધીનગરને ઘેરવાના મૂડમાં છે.
ઉમેદવારોની પાંચ માંગણી રજૂઆત
સરકાર દ્વારા એસઆઈટી( SIT )નું ગઠન
એસઆઈટીમાં ઉમેદવારોના પ્રતિનિધિનો સમાવેશ કરવો
ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ પણ અધિકારીનો સમાવેશ નહિ