બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિના વિરોધમાં સતત બે સુધી રાત-દિવસ આંદોલન ચાલ્યું હતું. પરીક્ષા રદ્દ કરવા માટે હજારોની સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરમાં ઉમટ્યાં હતા. પરંતુ ત્રીજા દિવસે આંદોલનનો અંત આવી ગયો.
કોંગ્રેસનું એલાન ફ્લોપ સાબિત થયું
ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓ થયા રવાના
SITની કરાઇ છ ેરચના
બિન સચિવાલયની પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો ધરણા પર ઉતર્યા હતા. બિન સચિવાલયના ઉમેદવારોના ધરણામાં કોંગ્રેસ બાદ SRPFના ઉમેદવારો પણ જોડાયા હતા. શનિવારે તો થોડી સંખ્યામાં જ ઉમેદવારો જોવા મળ્યા હતા.
કોંગ્રેસનું એલાન ફ્લોપ સાબિત થયું
ઉમેદવારોની વચ્ચે પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો પણ પહોંચ્યા હતા. જેમાં પરેશ ધાનાણીએ ઉમેદવારોને સમર્થન આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ 9 તારીખે વિધાનસભા કૂચ કરશે. રાજ્યના તમામ ઉમેદવારને સાથે રાખી કૂચ કરશે. કોંગ્રેસ વિધાનસભામાં પણ પરીક્ષાનો મુદ્દો ઉઠાવશે. ત્યારે હવે ત્રણ દિવસમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ ગાંધીનગર છોડી રવાના થઇ ચૂક્યા છે. ત્યારે ગાંધીનગરમાંથી કોંગ્રેસના નેતાઓ પણ રવાના થઈ ગયા હતા. આજે ચોથા દિવસે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓના આંદોલન સ્થળે કાગડા ઉડી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસનું એલાન પણ ફ્લોપ સાબિત થયું છે.
કેવી રીતે ઘટના સામે આવી
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના પુરાવા સામે આવ્યા હતા જે કોંગ્રેસ દ્વારા બે સ્કૂલના પુરાવા રજૂ કરવામાં આવ્યા બાદ ખળભળાટ થઈ ગયો હતો. NSUI દ્વારા સુરેન્દ્રનગરની બે સ્કૂલના CCTV જાહેર કર્યા હતા. CCTV સામે આવ્યા બાદ ઉમેદવારો મેદાને આવ્યા હતા. ઉમેદવારો દ્વારા પરીક્ષા રદ કરવાની માગ કરાઈ હતી. પરીક્ષા રદ કરવાના મામલે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. આજે ચોથા દિવસે પણ ઉમેદવારો આંદોલન પર છે. સતત ત્રીજી રાત્રીએ પણ ઉમેદવારો રસ્તા પર ઉંઘ્યા હતા.
સરકારે શું કર્યુ
બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આરોપ સાથે ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા છે. સરકારે ઉમેદવારોના વિરોધ બાદ SITની રચના કરી છે. SIT 10 દિવસમાં રિપોર્ટ સોપશે. સરકારે SIT રચવાના કરેલા આદેશ સાથે વિદ્યાર્થી નેતાઓએ સંતોષ માની લીધો હતો.