ત્રણ દિવસથી ગુજરાતભરના વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. આ વિદ્યાર્થીઓ બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે તપાસની માંગ લઈને ધરણા ઉપર બેઠા છે તેમનું કહેવું છે કે, પરીક્ષા રદ્દ કરો. પરીક્ષાર્થીઓના આંદોલનના હાલ તો બે ફાંટા થઈ ગયા છે. યુવરાજસિંહે પોતાની ટીમ સાથે ગાંધીનગર છોડીને ચાલતી પકડી છે ત્યારે ઉમેદવારોને કોનો સહારો? આવા સમયે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી વિદ્યાર્થીઓની તરફેણમાં આવ્યા છે. તેમણે અડધી રાત્રે પોતાને ચુલે રાંધણના આંધણ મુકીને હજારો પરીક્ષાર્થીઓને ભોજન કરાવ્યુ છે.
પરેશ ધાનાણીએ બનાવ્યુ જમવાનું
ઠંડીમાં યુવાનોને પીરસ્યુ ભોજન
SITની લોલીપોપ
પરેશ ધાનાણી એ આંદોલનકારીઓ માટે ભોજન તૈયાર કરાવ્યું હતુ. ધારાસભ્ય નિવાસસ્થાનની કેન્ટીનમાં અડધી રાત્રે ભોજન તૈયાર કરાવવામાં આવ્યુ હતુ. વિપક્ષ નેતા પરેશ ધાનાણી હાજર રહી ભોજન બનાવડાવ્યું અને પીરસ્યુ હતુ. આંદોલન કરી રહેલ પરિક્ષાર્થીઓ છેલ્લા બે દિવસથી વિરોધ કરી રહયા છે. રાજ્યના અલગ અલગ જગ્યાએથી આવેલા પરીક્ષાર્થીઓ અને તેમની સાથે આવેલા વડીલોને પણ ભોજન કરાવવામાં આવ્યુ હતુ.
સરકાર આંદોલન રફેદફે કરાવવાના મૂડમાં
એક તરફ રાજ્યમાં શિયાળો બેસી ગયો છે ત્યારે આ પરીક્ષાર્થી છેલ્લી બે રાતોથી ગાંધીનગરમાં સરકાર વિરૂદ્ધ ધરણા કરી રહ્યા છે. ન્યાય માટે આદરવામાં આવેલ આંદોલનને સરકારે રફેદફે કરવાની કોશિશ કરી પણ ઉમેદવારો મક્કમ છે.
SITની લોલીપોપ
ઉમેદવારોનું કહેવું છે કે અમને SITની લોલીપોપ નથી જોઈતી. તમે નવી પરીક્ષાની તારીખ જાહેર કરો અને આ પરીક્ષા રદ્દ કરો વહેલામાંવહેલી ભરતી કરો. આ જુવાળ સામે સરકારે ચેતી જવા જેવુ છે. બેરોજગારીને કારણે યુવાનો વરસોના વરસો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પાછળ બગાડતા હોય છે ત્યારે આ રીતે પરીક્ષામાં ગેરરીતિ ખરેખર દુર્ભાગ્ય છે.
ગઈકાલે સરકારે શું લીધો નિર્ણય
તપાસ માટે SITની રચના કરવામાં આવશે. SITમાં રાજ્યના અગ્રસચિવ કમલ દયાણી ચેરમેન રહેશે. SITમાં એડિશનલ DGP સભ્ય રહેશે. પરીક્ષામાં ગેરરીતિની તપાસ SIT કરશે. ગાંધીનગર રેન્જ IG મયંકસિંહ ચાવડા સભ્ય રહેશે. સંપૂર્ણ તપાસ બાદ જ રિપોર્ટ જાહેર કરાશે. SITનો રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર નહીં થાય. વિદ્યાર્થી નેતાઓની માગનો સ્વીકાર કરાયો છે. અહેવાલ 10 દિવસમાં SIT સરકારને સોંપશે. SITના રિપોર્ટ બાદ સરકાર આગળનો નિર્ણય કરશે. આવતીકાલે SITની પ્રથમ બેઠક મળશે. SITમાં ગૌણ સેવા મંડળનો કોઈ સભ્ય નહીં.