NSUIના સભ્યોએ વિવિધ શહેરોમાં કોલેજ બંધ કરાવવામાં આવી રહી છે. પરીક્ષા રદ કરવાની માગ સાથે NSUI મેદાને આવ્યુ છે. ગુજરાતના મોટા ભાગના શહેરો અમદાવાદ, રાજકોટ, ભાવનગર, બનાસકાંઠા, સુરત સહિતના શહેરોમાં NSUI વિરોધ પ્રદર્શન કરી રહયુ છે. કેટલાક સ્થળે NSUIના કાર્યકર્તાઓની અટકાયત પણ થઈ છે.
બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે NSUI દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેને લઈને સાબરકાંઠા, ભરૂચ અને પાટણમાં NSUIના કાર્યકરોએ કોલેજ બંધ કરાવી હતી. હિંમતનગરની કોલેજ બંધ કરાવવા માટે NSUIના કાર્યકરો પહોંચ્યા હતા. અભ્યાસ પ્રવૃતિ બંધ કરાવતા 10 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
ભરૂચમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ
ભરૂચમાં કોલેજ બંધ કરાવવા મુદ્દે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. ઘર્ષણ બાદ પોલીસે 10 કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઉપરાંત પાટણમા પણ પી.કે.કોટાવાલા કોલેજમાં બંધ કરાવતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી
ભાવનગરમાં 10 કાર્યકર્તાોની અટકાયત
ભાવનગરમાં NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોલેજ બંધ કરવા માટે NSUIના કાર્યકરો પહોચ્યા હતા. કોલેજ બંધ કરાવે તે પહેલા પોલીસે 10 કાર્યકરોની અટકાયત કરી હતી. બિનસચિવાલયની પરીક્ષાની ગેરરીતિ અંગે NSUIએ કોલેજના બંધનું એલાન આપ્યુ છે. જેને લઈને કાર્યકરો કોલેજ બંધ કરાવવા માટે પહોંચ્યા હતા.
ચોથા દિવસે પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી. કેમ કે, આવતીકાલે GPSCની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ સંખ્યા ઘટી છે. આંદોલનમાં જોડાયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે.