બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે ગુજરાત ગઈકાલનું રમણે ચઢ્યુ છે ત્યારે આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ મામલે તેમણે ગુજરાતના ઉમેદવારોને હૈયાધારણ આપીને દરેકને ન્યાય મળશે તેવી વાત કરી હતી.
17 નવેમ્બર રવિવારના રોજ લેવાઈ હતી પરીક્ષા
પરીક્ષામાં થયા હતા કોપી કેસ
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ પર CMનું નિવેદન
પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પરીક્ષાર્થીઓએ કલેક્ટર સાથે બેઠક કરી છે. સમગ્ર મામલે સુખદ નિરાકરણ આવે તેવી આશા છે. પરીક્ષા મુદ્દે પારદર્શિતા મામલે સરકાર કટિબદ્ધ છે. મહેનત કરનારા પરીક્ષાર્થીઓને જરૂર ન્યાય મળશે. પરીક્ષામાં કોપી કેસ થયા હતા.
17 નવેમ્બર રવિવારના રોજ લેવાઈ હતી પરીક્ષા
અમદાવાદમાં 515 કેન્દ્ર પર 1.62 લાખ પરીક્ષાર્થીઓ, રાજકોટમાં 177 કેન્દ્ર પર 53 હજાર પરીક્ષાર્થીઓ, જુનાગઢમાં 125 કેન્દ્ર પર 35752 પરીક્ષાર્થીઓ , બોટાદમાં 47 કેન્દ્ર પર 17 હજાર પરીક્ષાર્થીઓ, બનાસકાંઠામાં 216 કેન્દ્ર પર 70000 પરીક્ષાર્થીઓ, સુરેન્દ્રનગરમાં 148 કેન્દ્ર પર 43340 પરીક્ષાર્થીઓ, ભાવનગરમાં 195 કેન્દ્ર પર 60698 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.