બિન સચિવાલયની પરીક્ષા ફરી વિવાદમાં આવી છે. આ પરીક્ષામાં પુછાયેલ 170 માં નંબરના પ્રશ્નને લઇને વિવાદ થયો છે. આ અંગે ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યા છે. તેમાં તેમણે જણાવ્યુ હતું કે જ્ઞાતિનું અપમાન થાય તેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને પેપર કાઢનાર વ્યક્તિ સામે એસ્ટ્રોસીટી એક્ટ હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અને તેમણે જણાવ્યુ છે કે સામાન્ય જાણકારી ન હોય તેવા વ્યક્તિ કઇ રીતે પેપર બહાર પાડી શકે છે. સખત કાર્યવાહી કરવામાં આવે જેથી આગામી દિવસોમાં આવી હરકત કોઇ કરે નહિં.
સંસદનું શિયાળુ સત્ર સોમવારે શરૂ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન, મોદી સરકાર નાગરિકતા સુધારા બિલ ચર્ચા માટે રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે તેને લઇને સત્રમાં હંગામો મચાવશે કારણ કે...