બિન સચિવાલય પરીક્ષા કૌભાંડને વિખેરવા સરકાર તરફથી એડીચોટીનું જોર લગાવાઈ રહ્યુ છે પરંતુ કડકડતી ઠંડી પણ વિદ્યાર્થીઓના મનોબળને તોડી નથી શકી. બે રાતથી વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં આંદોલન આદરીને બેઠા છે ત્યારે સરકાર તાત્કાલિક કોઈ પગલા લેવાની જગ્યાએ તપાસના વાયદાઓ કરી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સરકારે યુવક-યુવતીઓ માટે કોઈ જ વ્યવસ્થા કરી ન હતી. રાતભર કોંગ્રેસના દિગ્ગજ નેતા પરીક્ષાર્થી સાથે રહ્યાં જ્યારે સરકારમાંથી કોઈ આ પરીક્ષાર્થીઓની ખબર પૂછવા પહોંચ્યુ નહતુ.
યુવરાજસિંહની ટીમે આંદોલન સ્થળ છોડ્યું
રાતભર કોંગ્રેસના દિગ્ગજ નેતા પરીક્ષાર્થી સાથે રહ્યાં
ગઈકાલે આખરે સરકારે ઝુકીને SITની રચના કરી 10 દિવસમાં તપાસનો વાયદો આપીને આંદોલનને વિખેરી નાંખવાની કોશિશ તો કરી પરંતુ પરીક્ષાર્થીઓ મક્કમ છે કે, પરીક્ષા રદ્દ કરો અને ફરીથી લો. ત્યારે પરીક્ષાર્થીઓના નેતા યુવરાતસિંહ જાડેજાની ટીમ ગાંધીનગર છોડીને ઘર તરફ પરત ફરી ગઈ છે પરંતુ વિદ્યાર્થીઓ હજુ પણ કડકડતી ટાઢમાં ગાંધીનગરમાં જ રાત વિતાવી હતી.
ત્રણ દિવસથી ગાંધીનગરમાં ઉમેદવારો આંદોલન આદર્યુ છે. પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા વિદ્યાર્થીઓ અડગ છે.
શું રહ્યો રાતનો ઘટના ક્રમ
ઉમેદવારો પોતાની માગ સાથે અડગ છે.
યુવરાજસિંહની ટીમે આંદોલન સ્થળ છોડ્યું
રાતભર કોંગ્રેસના દિગ્ગજ નેતા પરીક્ષાર્થી સાથે રહ્યાં
પરેશ ધાનાણી, અમિત ચાવડા અને હાર્દિક પટેલ વિદ્યાર્થી સાથે રહ્યાં
અપક્ષ MLA જિગ્નેશ મેવાણી પણ સમર્થનમાં આવ્યા
પરીક્ષાર્થીઓને વિશ્વાસ આપ્યો કે કોંગ્રેસ તેમની આ લડતમાં હંમેશા સાથે રહેશે
ભૂખ્યા પરીક્ષાર્થીઓ માટે કોંગ્રેસે ભોજનની વ્યવસ્થા કરી
પરેશ ધાનાણી ભોજન લાવ્યા અને તમામ નેતાઓએ ભોજન પીરસ્યું
વિદ્યાર્થીઓની લડતને જોઇને કોંગ્રેસે આક્રમક રીતે આગળ વધવાનું મન બનાવ્યું
બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ મામલે વિદ્યાર્થીઓની કઈ છે પાંચ માંગ?
- એસઆઈટીનું ગઠન
- એસઆઈટીમાં ઉમેદવારોના પ્રતિનિધિનો સમાવેશ કરવો
- ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ પણ અધિકારીનો સમાવેશ નહિ
- ગેરરિતી કરનારા ઉમેદવારો સામે કાર્યવાહી કરાય
- ગેરરિતી કરાવનારા સામે કાર્યવાહી થાય
- પેપર લીકના પુરાવાના અનુસંધાને પરીક્ષા રદ્દ કરાવાય
મામલો શું છે?
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. 6 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ક્લાર્કની 3910 જગ્યા ખાલી હતી જેના માટે પરીક્ષા લેવાઈ હતી. કુલ 3173 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા બાદ 39 લેખિત ફરિયાદ મળી હતી. કોંગ્રેસે વીડિયો ફૂટેજ રજૂ કર્યા હતા. 5 જિલ્લામાંથી 41 ફરિયાદ મળી છે.
ગાંધીનગરમાં ગઈકાલ સવારથી 4000થી 5000 જેટલા વિદ્યાર્થીઓ બિન સચિવાલયના કાર્યાલયની બહાર ધરણા ધરીને બેઠા છે. જેમની ઉપર લાઠી ચાર્જ થયો, તેમને દોડાવવામાં આવ્યા 450 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી પરંતુ આખરે તેમને છોડી મૂકાયા હતા.