બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. આજે પણ ઉમેદવારોનો પરીક્ષા રદ્દ કરવાના મામલે આંદોલન યથાવત્ છે. આ મામલે SITની રચના કરવામાં આવી છે. જો કે, સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તેમાં પણ પેપર લીક થયું હોવાનું સામે આવ્યુ છે. નોંધનીય છે કે, પેપરમાં ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા CCTV જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે CCTV જાહેર કર્યા બાદ વિરોધ નોંધાવ્યો હતો.
બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની ઉમેદવારોની માગ
FSLના રિપોર્ટમાં પેપર લીક થયું હોવાનું સામે આવ્યુ
શું છે સમગ્ર મામલો ?
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. 6 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ક્લાર્કની 3910 જગ્યા ખાલી હતી જેના માટે પરીક્ષા લેવાઈ હતી. કુલ 3173 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા બાદ 39 લેખિત ફરિયાદ મળી હતી. કોંગ્રેસે વીડિયો ફૂટેજ રજૂ કર્યા હતા. 5 જિલ્લામાંથી 41 ફરિયાદ મળી છે.
વિદ્યાર્થીઓ બિન સચિવાલયના કાર્યાલયની બહાર કર્યા ધરણા
ગાંધીનગરમાં ગઈકાલ સવારથી 4000થી 5000 જેટલા વિદ્યાર્થીઓ બિન સચિવાલયના કાર્યાલયની બહાર ધરણા ધરીને બેઠા છે. જેમની ઉપર લાઠી ચાર્જ થયો, તેમને દોડાવવામાં આવ્યા 450 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી પરંતુ આખરે તેમને છોડી મૂકાયા હતા.
યુવરાજસિંહે VTV સાથે કરી હતી ખાસ વાતચીત
યુવરાજસિંહે કહ્યું છે કે, આંદોલન દરમિયાન સરકાર સાથે વાતચીત થઇ ત્યારબાદ SITની રચના કરવામાં આવી હતી. આ દરમિયાન સરકાર પાસે અમારી માંગ હતી કે જો પેપર લીક સાબિત થાય તો પરીક્ષા રદ્દ કરવામાં આવે. ત્યારે અમારી સરકાર પાસે આશા છે કે આ પરીક્ષા તેઓ રદ્દ કરશે. આ વચ્ચે જો આ પરીક્ષા રદ્દ નહીં થાય તો? અમારે ફરી બાયો ચડાવી પડશે. સરકારે વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવાની જરૂર છે. તેમજ પરીક્ષામાં સુધારાની જરૂરી છે. સરકાર યોગ્યરીતે પરીક્ષા પણ લઇ શકતી નથી. સરકારે પોતાની ભૂલ સ્વીકારવી જોઇએ.