બિનસચિવાલય કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના બાદ સરકાર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી હતી, પરંતુ ત્યાર પછી હજુ પેપર લીક કેસના આરોપીની તપાસ વગેરે ચાલુ છે, પરંતુ રદ થયેલી પરીક્ષા ક્યારે લેવાશે તે બાબતે હજુ કોઈ અણસાર ન દેખાતાં અત્યાર સુધી પરીક્ષા આપી ચૂકેલા અરજદારો ફરી પરીક્ષાની તારીખની રાહ જોઈને બેઠા છે.
પરીક્ષામાં ગેરરીતિ મામલે થઈ હતી રદ્દ
અરજદારો જોઈ રહ્યા છે રાહ
શું છે બિનસચિવાલયનો વિવાદની તવારીખ
ગૌણ સેવા પસંગી મંડળના અધ્યક્ષ અસીતભાઈ વોરાએ જણાવ્યું હતું કે હાલમાં પરીક્ષાની તારીખ અંગે કંઈ જણાવી શકાય નહીં, હજુ ક્યારે પરીક્ષા લેવાશે તે બાબત નક્કી કરવામાં આવી નથી.
મોટા પ્રમાણમાં ગેરરીતિના કિસ્સા સામે આવ્યા બાદ સરકાર દ્વારા પરીક્ષા રદ કરીને સિટની રચના કરવામાં આવી હતી. સિટ દ્વારા સીસીટીવી, વીડિયો ક્લિપ્સ, વોટ્સએપ અને કોલ રેકોર્ડિંગના આધારે તપાસ ચાલુ કરવામાં આવી હતી. રદ થયેલી પરીક્ષા ક્યારે લેવાશે તેના કોઈ અણસાર ન દેખાતાં અરજદારો મૂંઝવણમાં છે. હવે તેઓ તારીખ અંગેની જાહેરાતના મુદ્દે ફરી સરકારમાં રજૂઆત કરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
શું છે બિનસચિવાલયનો વિવાદની તવારીખ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઑક્ટોબર 2018માં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની 2221 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પછીથી ફરી એકવાર જૂન 2019માં જગ્યામાં વધારો કરીને 3053 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. ફરી પાછી 20 ઓક્ટબર 2019માં પરીક્ષા રદ્દ કરવાની ડાહેરાત કરાઈ હતી. આખરે 17મી નવેમ્બરના દિવસે પરીક્ષા લેવાઈ હતી જેમાં ગેરરીતિને મામલે પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી હતી.