બંધારણીય અધિકાર આંદોલન સમિતીનો અનામત મુદ્દે વિરોધ કરી રહી છે ત્યારે અનામત સંદર્ભના ઠરાવ રદ કરવાની માગ સાથે મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અનામત વર્ગ અને બીજી તરફ બિન અનામત વર્ગને લઈને આંદોલન સરકારના માથાનો દુખાવો બની ગયુ છે સામે પક્ષે ટ્રમ્પની અમદાવાદ મુલાકાત નજીક આવી રહી છે.
મહેસાણા માનવ આશ્રમ ખાતે સમિતીના સભ્યો થયા એકત્ર
એકત્રીત થઈને શહેર બંધ કરવાની નાગરિકોને કરશે અપીલ
OBC, SC-ST સમાજના શહેરીજનોના સમર્થનનો દાવો
મહેસાણા માનવ આશ્રમ ખાતે સમિતીના સભ્યો એકત્ર થયા હતા. એકત્રીત થઈને શહેર બંધ કરવાની નાગરિકોને અપીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. OBC, SC-ST સમાજના શહેરીજનોના સમર્થનનો દાવો કરી રહ્યા છે. રામજી ઠાકોર સહિતના કન્વીનરો માનવ આશ્રમ નજીક પહોચ્યા હતા. બક્ષી પંચ સમાજના દુકાનદારોને બંધ પાળવાની અપીલ કરવામાં આવી રહી છે.
શું છે બબાલ?
રાજ્ય સરકાર ફરી એકવાર અનામતની ગુંચમાં ફસાઇ છે. 1-8-2018 ઠરાવ સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે. ઠરાવને લઇ વિવાદ વધુ ઘેરો બન્યો છે. અનામત અને બિન અનામત વર્ગના સામે-સામે આંદોલન ચાલી રહ્યું છે. LRD ભરતીમાં મેરિટ લીસ્ટને લઇ છેલ્લા 67 દિવસથી બિન અનામત વર્ગની મહિલાઓ ધરણાં પર બેઠી છે. બીજી તરફ સરકારે ઠરાવમાં ફેરફારની જાહેરાત તો કરી દીધી છે પરંતું હજુ કોઈ નિર્ણય પર નથી પહોંચી શકી. ઉલ્લેખનીય છે કે, બિન અનામત વર્ગની માગ ઠરાવમાં ફેરફાર ન કરવાની છે. તો અનામત વર્ગ એવો દાવો કરી રહ્યું છે કે, ઠરાવ ગેરબંધારણીય છે
અનામત વર્ગ અને બીજી તરફ બિન અનામત વર્ગને લઈને આંદોલદન
ગાંધીનગરમાં એક તરફ અનામત વર્ગ અને બીજી તરફ બિન અનામત વર્ગને લઈને આંદોલદન ચાલી રહ્યું છે. આજે પણ બન્ને વર્ગના લોકો આંદોલન પર છે. ત્યારે હવે રાજ્ય સરકાર માટે અનામતનો મુદ્દો પેચિંદો બન્યો છે. લોકરક્ષક દળની ભરતીને લઈને અનામત આંદોલનનો આજે 68મોં દિવસ છે. આંદોલનકારીઓ છેલ્લા 25 દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ત્યારે હવે રૂપાણી સરકાર દ્વારા આજે અનામત મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સરકાર દ્વારા બન્ને વર્ગને ધ્યાને રાખીને નિર્ણય લેવાય તેવી શક્યતા છે.. આ મામલે CMના અગ્રસચિવ કૈલાશનાથનને જવાબદારી સોંપાઈ છે.